હું સમજી શકું છું... માત્ર બોલાયેલા શબ્દો એ હૂંફ નથી આપી શકતા, જે સમદુખિયાનો માત્ર સ્પર્શ પણ આપી શકે છે.
આ વાર્તામાં નાયક તથા અન્ય પાત્રોનું કોઈ જેન્ડર દર્શાવ્યું નથી. સંતાનવિયોગની જે પીડા એક માતાને થાય છે, એટલી જ પીડા એક પિતાને પણ થાય છે. વાચકમિત્રને વિનંતી છે કે જો આ વાર્તા વાંચતી વખતે આપને નાયક એક સ્ત્રી લાગે, તો એ જગ્યાએ એક પુરુષને રાખીને ફરી વાંચશો. પછી તમે જે સંવેદન ઝીલો, તે કમેન્ટમાં અચૂક જણાવશો.