હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.
હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.
Book Summary
દેશ આઝાદ થયા પછી પણ ડાકુઓ, લૂંટારાઓ અને બહારવટિયાઓનો ત્રાસ દેશની જનતા વેઠી રહી હતી. ગીચ ઝાડીઓ અને કોતરોમાં છુપાઈને ત્રાસ ગુજારનાર આવા લૂંટારાઓને શ્રી રવિશંકર મહારાજે સમજાવીને કામધંધે લગાડ્યા હતા. સરકારે મહારાજના માધ્યમથી આવા તત્વોની સજામાં ઘટાડો કરીને એ લોકોને જમીન આપી હતી. છતાં કેટલાક નહિ માનેલા ચોર, ડાકુ અમે લૂંટારાઓ હજી પણ એમની લૂંટફાંટની પ્રવૃત્તિ કરી રહ્યા હતા. ભોપો પ્રખ્યાત બહારવટિયા ભુપતની ટોળીનો એક સભ્ય હતો. જે આઝાદી પછી એકલો પડી ગયો હતો અને એના ગામ નજીકની નદીના કોતરમાં છુપાઈને લૂંટફાટ કરતો હતો. 'કિસ્મતના ખેલ' આ ભોપા જેવા જ લૂંટારાઓની કથા છે. એમના જીવનમાં કોઈએ ક્યારેય ડોકિયું કર્યું ન હતું. એ લોકોની વેદના અને દુઃખભરી કહાની બયાન કરવાનો આ નમ્ર પ્રયાસ છે. આ કથા એ લોકોની લૂંટફાટ અને ચોરીને કોઈપણ દ્રષ્ટિએ જાયજ ઠેરવતી નથી પણ કોઈ ગુનેગાર જન્મજાત ગુનેગાર નથી હોતો. સમાજ તરફથી મળેલી અવહેલના અને અપમાન સાથે ક્યાંક ને ક્યાંક એ લોકોના હક છીનવાયા છે. ધનવાનોની ગરીબોને શોષવાની અને ગુલામ બનાવવાની સદીઓથી ચાલી આવતી નીતિ અને રીતીને કારણે આવા ગુનેગારો જન્મે છે. લોભ, લાલચ, સ્વાર્થ સાથે કામ, ક્રોધ, મોહ અને માયા જેવી માનવીય લાગણીઓ ઉજાગર કરવાનો નાનકડો પ્રયાસ આ કથામાં થયો છે. એક ગુનેગારના જીવનમાં બનતી કેટલીય ઘટનાઓ સામે એ લડે છે. ભોપાનું કિસ્મત એને ક્યાંથી ક્યાં લઈ જાય છે અને કેવા કેવા ખેલ રચે છે એની આ કથા એટલે 'કિસ્મતના ખેલ'. આશા રાખું છું કે વાચકમિત્રોને આ કથા જરૂર પસંદ આવશે.