આમ દુઃખાવો આપણને દુઃખ જરૂર આપે છે, પણ તેના કારણની તપાસ કરાવવી જરૂરી છે. આ દુઃખાવો શરીરમાં સોજો, ઈન્ફેકશન, ઈજા કે બીજા કોઈ નુકસાનથી આપણને સાવચેત કરે છે, તે ભૂલવા જેવું નથી. કેટલીક પરાવર્તી ક્રિયાઓ જ આપણને થોડો દુઃખાવો થતાં મોટા નુકસાનમાંથી બચાવે છે તેથી દુઃખાવો દુઃખનું નહી પણ લાંબાગાળે, કાયમી ધોરણે સુખનું કારણ બને છે. હા, કેટલાક કાયમી દુખાવાને છેવટે દવા કે ગોળીથી અથવા તો નર્વ બ્લોક કરીને ઓછા કરવા જરૂરી બને છે.