પૃથ્વીવલ્લભ
પુસ્તક - પૃથ્વીવલ્લભ
લેખક - કનૈયાલાલ મુનશી
પૃથ્વીવલ્લભ તરીકે નાયક મુંજ ને આલેખાયો છે.તૈલપ ની એવી નગરી જ્યાં આનંદ , ઉલ્લાસ , પ્રણય કે પછી કવિતાઓ અને કવિઓ ને કોઈ સ્થાન નથી. ત્યાં ભવિષ્ય ની રાની ને પણ જપ તપ અને તપસ્યા ના પાઠ શીખવવામાં આવે છે.
જયારે તૈલપ રાજા પૃથ્વીવલ્લભ સામે જીતી ને મુંજ (પૃથ્વીવલ્લભ ) ને કેદ કરી લાવે છે એ પછી થતા ફેરફારો લખાયેલા છે.
પ્રણય અને પ્રેમ નો સાચો અર્થ જયારે એક બાળા સમજે છે ત્યારે એ અનુભવી શકે એ પેલા જ હાર નો બદલો લેવા તેને મારી નાખવામા આવે છે.
આજીવન વૈરાગ્ય ધારેલ સ્ત્રી ને મુંજ થી પ્રેમ થઇ જાય છે. સત્તા , પ્રેમ અને રાજપાઠ ની રમતો વર્ણવેલી છે.
આખરે હારી ને પણ મુંજ ખરો પૃથ્વીવલ્લભ બની રહે છે.
ઐતિહાસિક રચનાઓ વાંચવી ગમે તો આ પુસ્તક ના કલ્પના વિશ્વમા રસ પડે એવું છે..
