ગુરુદક્ષિણા
હું
આજીવન શિષ્યા !
હરક્ષણ
નૂતન દીક્ષા- - -!
મારા જીવનપથ પર
આવતા
સજીવ - નિર્જીવ
તમામ ઘટકો ગુરૂતુલ્ય
દત્તાત્રેયની જેમ !
મારી ગુરૂદક્ષિણા
મારી ઓળખ
મારું આત્મજ્ઞાન
મારી અભિવ્યક્તિ !
પણ
એકલવ્યના ગુરુ
દ્રોણાચાર્યને
વંદન !
કારણ કે
અંદરખાને
મારી અભિવ્યક્તિ પર
તરાપ મારનારા
ગુરુઓ કરતા
જાહેરમા એનો અંગૂઠો માગી
એકલવ્યને
અમર કરનાર ગુરુ મહાન !
સાત ડગલાં
પછી પણ અહમ ?
ત્રણ ડગલે
બલિ પણ ગર્વરહિત થઈ
પ્રભુને દ્વારપાળ
બનવવાનું
સામર્થ્ય ધરાવે
પણ - - -
આપણે ?
વિચારજો !
©️હેમશીલા માહેશ્વરી'શીલ
ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ