વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુરુદક્ષિણા

હું 

આજીવન શિષ્યા !

 હરક્ષણ 

નૂતન દીક્ષા- - -! 


મારા જીવનપથ પર

આવતા

સજીવ - નિર્જીવ 

તમામ ઘટકો ગુરૂતુલ્ય

દત્તાત્રેયની જેમ !


મારી ગુરૂદક્ષિણા 

મારી ઓળખ 

મારું આત્મજ્ઞાન

મારી અભિવ્યક્તિ  !


પણ 

એકલવ્યના ગુરુ

દ્રોણાચાર્યને

વંદન !


કારણ કે 

અંદરખાને 

મારી અભિવ્યક્તિ  પર

તરાપ મારનારા 

ગુરુઓ કરતા 

જાહેરમા એનો અંગૂઠો માગી

એકલવ્યને 

અમર કરનાર ગુરુ મહાન !


સાત ડગલાં 

પછી પણ અહમ  ?


ત્રણ ડગલે 

બલિ પણ ગર્વરહિત થઈ  

પ્રભુને દ્વારપાળ

બનવવાનું

સામર્થ્ય ધરાવે 

પણ - - -

આપણે ?

 વિચારજો !


          ©️હેમશીલા માહેશ્વરી'શીલ 


 ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ