કલમે જિંદગી
જો હોય બાકી કોઈ અભરખા તો લખો તમે ,
જો પામી ના શકો પ્રેમ ને અંતે તો લખો તમે .
ન કરી શકો જો બંદગી ખુદાની તો લખો તમે,
એ ઘાવ જુના જો રુજાતા ના હોય તો લખો તમે.
ભીતરે ભીંજવે જો દુઃખ નો ભેરુ તો લખો તમે,
મળ્યું સુખ ને કંડારવા આળસ ને મૂકી લખો તમે.
પ્રણયતણી યાદો ઝાકળ બને તો લખો તમે.
મળે નહીં જો ચાહેલું કલમ બની લખો તમે.
ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"
ગિરિમલસિંહ ચાવડા "ગીરી"