ભજીયા
"કનુની બા, બહાર મસ્ત વરસાદ આવે છે. એક પ્લેટ ભજીયા બનાવી આપ ને. " કરસનકાકાએ પોતાની આરામખુરસી પર બેઠાંબેઠાં સાદ પાડયો.
કનુની બાએ કેટલીય વાર સુધી કોઈ જવાબ ન આપ્યો એટલે તેઓ કંટાળીને બાલ્કનીમાંથી રૂમમાં ગયા તો સામે દીવાલ પર કનુની બાનો હાર ચડાવેલો ફોટો જોઈને અલઝાઈમરની બીમારીને લીધે ભુલાઈ ગયેલી બધી પીડા તેમને એકસાથે યાદ આવી ગઈ.
બીજા દિવસે બે આત્માઓ સાથે ભજીયા ખાઈ રહી હતી. જે છાપા પર ભજીયા હતા તે છાપામાં સમાચાર હતા કે, " એકલા રહેતાં વૃદ્ધનું બાલ્કનીમાંથી પગ લપસતા સ્થળ પર જ મૃત્યુ. "