વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિશાની

કારગીલ વિજય દિવસનાં બાવીસ વર્ષે મેજર અજયસિંહ  તેમની રેજિમેન્ટ સાથેની એક તસવીર નિહાળી રહ્યાં હતાં અને સાથે જ બાવીસ વર્ષ પાછળ પહોંચી ગયાં. એમની રેજિમેન્ટનાં સૈનિકો એ વિજયની ઉજવણી સાથે પોતાનાં પ્રિયપાત્રોને યાદ કરી રહ્યાં હતાં. એમનાં એક સાથીએ અજયસિંહને તેમની પ્રેમકહાની વિશે પૂછતાં તેમણે કહ્યું, "નાનપણથી સરહદ પર જંગ લડતાં વીર સૈનિકો વિશે વાંચીને અને સાંભળીને, યૌવનનાં ઉંબરે પહોંચતાં દેશ અને એનાં વીર જવાનો મારો પ્રથમ પ્રેમ બની મારાં દિલમાં વસી ગયાં. મારા પ્રથમ પ્રેમને પામવા મેં સૈન્યમાં પ્રવેશ કર્યો અને એ જ દિવસે મારા પ્રથમ પ્રેમને જ અંતિમ પ્રેમ બનાવવાનો નિર્ણય કર્યો, જેથી મારી અને એની વચ્ચે કોઈ ના આવે.  આ છે મારી પ્રેમકથા."

સૈન્યમાંથી નિવૃત થયાં બાદ આ પ્રેમની નિશાનીરૂપી ચંદ્રકો સાથે જીવન વ્યતીત કરી રહ્યાં હતાં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ