વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શાને મુંજાય !

શાને મુંઝાય

સુખ અને દુઃખ તો આવે અને જાય

હે માનવ,તું આજે આમ શાને મુંઝાય


થવાનું જે લખ્યું છે એતો થવાનું જ

આપડે લાચાર, મારો હરિ કરે એ થાય


દુઃખની આ ઘડી ક્યાં સુધી ટકવાની

 સૌ સાથે મળી લડીએ, થાકી થોડું જવાય


પોતાના હોય કે પારકા,માણસ તો છીએ

સેવા કરી લેવી ,જોજો તક ચુકી ન જવાય


'સ્નેહી' કહે દિનોનાથ રાખશે સૌની લાજ

રાખો ભરોસો, આમ હીંમત ન હારી જવાય


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ