શાને મુંજાય !
શાને મુંઝાય
સુખ અને દુઃખ તો આવે અને જાય
હે માનવ,તું આજે આમ શાને મુંઝાય
થવાનું જે લખ્યું છે એતો થવાનું જ
આપડે લાચાર, મારો હરિ કરે એ થાય
દુઃખની આ ઘડી ક્યાં સુધી ટકવાની
સૌ સાથે મળી લડીએ, થાકી થોડું જવાય
પોતાના હોય કે પારકા,માણસ તો છીએ
સેવા કરી લેવી ,જોજો તક ચુકી ન જવાય
'સ્નેહી' કહે દિનોનાથ રાખશે સૌની લાજ
રાખો ભરોસો, આમ હીંમત ન હારી જવાય
રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'