નવરાત્રિ
આસો સુદ એકમ એટલે *નવરાત્રી* પ્રારંભ,
હિન્દુઓ દ્વારા ઘટસ્થાપન અને પૂજા અર્ચનાનો દિન..
*નવરાત્રી* એ દેવી દુર્ગાનાં ઉત્સવનું પ્રતીક છે,
જે દેવીને શક્તિ સ્વરૂપે વ્યક્ત કરે છે..
રૂમઝૂમ કરતી બાળ સ્વરૂપે આવતી માડી,
શીખ લઇ આનો આનંદ માણતી સખી..
આઠમ/નોમનાં દિવસે કુમારિકાને ભોજન કરાવાય,
યથા શક્તિ મુજબ એમને દક્ષિણા અપાય છે..
જે કરે માં નું શ્રદ્ધા - ભાવથી પૂજન,
તેનાં સઘળે પાપોનું થાય નાશ..
*નવરાત્રી*પછીનો બીજો દિવસ એ દશેરા,
એટલે એને વિજયાદશમી પણ કહેવાય..