રાત
રાત,
બે અક્ષરનો શબ્દ,
સાવ નાનો એવો,
અને છતાંય તેનો પ્રભાવ,
હોય બહુ મોટો,
આખા ધરાતલને,
તે કરી દે સાવ શાંત.
હવે જોકે,
એ વાત નથી રહી સાચી,
ઝગમગાટ કરતી,
કેટલીય લાઈટો થકી,
રાતના અંધકારને ધ્વસ્ત કરી,
માનવ મહાલે છે ત્યારે પણ,
આ ધરાતલ પર.
જોકે એમ કરીને,
થયો છે આપણો વિજય,
કે પછી પરાજય?,
એ છે એક મર્મ પ્રશ્ન,
કારણ કે,
હવે રાતે પણ હોય એવો કોલાહલ,
કે કોઈ જાણે નહીં હૈયા કેરી વાત ને.
©કિશન પંડયા