લાડકવાયા
ખૂબ વિશાળ છે,
આ ધરતીમાતનો ખોળો,
અને એ ખોળામાં રમતાં,
કેટકેટલાય લાડકવાયા.
પ્રાણી હોય કે માનવી,
કે પછી તરુવર તણી છાયા,
ધરતીમાત માટે કોઈ નહીં પરાયા,
આ વાતને શું બધા છે સમજ્યા?
ના રે ના,
પ્રાણી તરુવરની વાત રહી દૂર,
અહીં તો માનવી ને માનવી,
પણ સદાય લડ્યા.
ધરતીમાત એ જોઈને,
સતત છે રડ્યા,
શું એ રુદનને રોકવા,
કોઈના દિલમાં પ્રભુજી છે જાગ્યા?
©કિશન પંડયા.