વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાવણ

ક્યારેય મરવું નહોતું એને તોય એ રોજ મરે છે,
વાહ, સત્ય ને સત્ય ઠેરવવા રાવણ રોજ મરે છે.
જો ના મરે એ રાવણ તો સત્ય જ ખોટું પડે કદાચ
એટલે સત્ય ની લાજ રાખવા રાવણ રોજ મરે છે.
સત્યની ખોજ પણ એટલી સારી નહીં "અંતિમ"
એ ખોજ સામે યશોધરા અને રાહુલ એકલા ઝુરે છે.
રામે તો રાવણ ને હણી લીધો સ્ત્રી ના સન્માન માટે,
પણ સીતા ની અગ્નિપરીક્ષા માં બધી સ્ત્રીઓ મરે છે.
કોણે લખી દીધું છે કે રાવણ થી જ દુષ્ટતાનો અંત છે,
સત્યવાદી રામ ના એક બાણ થી મૃગલાં પણ મરે છે.

ડો.સંજય જોષી (અંતિમ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ