રાવણ
માઇક્રો ફિક્શન વાર્તા
શીષૅક : રાવણ
દશેરાના રાવણદહનના કાયૅક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શહેરનાં પ્રતિષ્ઠિત ગુરૂજીને જોઇ પૂતળામાંનો નિજીૅવ રાવણ મનમાં હસ્યો અને બોલ્યો હું રાક્ષસ હતો તો પણ મેં અપહરણ કરેલી સીતા લંકામાં સુરક્ષિત હતી , અને ગુરૂજી તમારા આશ્રમે દશૅન માટે આવતી સ્ત્રીઓ વાક્ય પૂરું થાય તે પહેલાંતો રાવણના પૂતળામાં તીર મરાઇ ગયું, થોડી જ ક્ષણોમાં નિજૅીવ રાવણ સળગી ગયો અને ગુરૂજી આશ્રમમાં પરત ફર્યા.
મેઘલ કે.ઉપાધ્યાય
રાજકોટ