આજનો વિદ્યાર્થી
ભણતર જીવનનો અમૂલ્ય ભાગ છે. આજે ભણતરની પરીભાસા બદલાઈ ગઈ છે. આજે ભણતર એટલે મોંધા ટ્યુશન રાખવા અને મોંઘી નિશાળોમાં ભણવું. વિધાર્થી જ્યારથી નિશાળે જવાનું ચાલુ કરે ત્યારથી તેના પર ભાર મુકવામાં આવે છે. વાલીઓની અપેક્ષા એ હોય કે તેનો દીકરો કે દીકરી સારા ટકાવારી એ પાસ થાય.
વિધાર્થીઓ પર દબાણ મુકવામાં આવે છે. જરા પણ ઓછા માર્ક આવે તો તેને માર પડે છે. ક્યારેક એવુ બને કે વિદ્યાર્થી આપઘાત કરવાનો પ્રયાસ કરે છે. આજનો વિદ્યાર્થી સહન કરી શકતો નથી. મોબાઈલ અને સોશ્યિલ મીડિયાનો ગુલામ બનતો જાય છે. જેથી તે ભણતરમાં નિષ્ફ્ળ થાય છે. મોબાઈલ તેના માટે વ્યસન બનતું જાય છે. તેને આધીન બની જાય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યિલ મીડિયામાં હંમેશા સક્રિય રહે છે.તેના લીધે તેના મન પર ઊંડી અસર પડે છે. તે વિચારે કોઈએ અભિપ્રાય આપ્યો કે નહીં અને કોઈ એ તેને રિપ્લાય આપ્યો કે નહીં.
વાલીઓ અને વિધાર્થીઓ એ એક બીજાને સમજવાની જરૂર છે. એક ડગલું સમજતા તરફ જવાની જરૂર છે