વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નાશ ક્યાં થાય છે કાયમ?

"નાશ ક્યાં થાય છે કાયમ?"


નાશ ક્યાં થાય છે કાયમ?

કોઈ ને કોઈ રૂપે પ્રગટ થાય છે!

અહમ્ મદ મત્સર માનવમાં

હર યુગમાં દેખાતો જાય છે 


મહિષાસુર હોય કે રાવણ

અંત પછી પણ એ પ્રગટે છે

કંસ રૂપે કે જરાસંઘ રૂપે

અહમ્ રૂપે એ દેખાતો જાય છે


અંતરમનના પણ દર્શન કરવા

આપણામાં જ ક્યાંક મદ દેખાતો જાય છે

ઈશ્વર શરણં ગચ્છામિ

એ તો સાચો માર્ગ દેખાતો જાય છે..

- કૌશિક દવે 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ