આઈ આશાપુરામા
વરસે જ્યાં પત્રી નો વરસાદ
જીલે ભક્ત ભક્તિ નો પ્રસાદ
ઉભી રહે આઈ સાંભળીને સાદ
મનથી કરે જે આશાપુરાને યાદ
ભક્ત જે આશાપુરા શરણે જાય
માનેલી માનતા સઘળી પુરી થાય
સંતાન માંગે ને પારણાં બંધાઈ જાય
સુખ સમૃદ્ધિના બારણાં ખુલી જાય
જે નર મા આશાપુરાના ચરણે જાય
કહે નર એના દુઃખો ઝરણે વહી જાય
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા