ઓશિયાળો
આમ પણ તારા વગર તો લાગતો જો ઓશિયાળો,
કેમ ભુલુ પ્રેમ તારો , એક તું મારો સહારો.
આપણે ભોળા હતા કે પ્રેમ સમજી ના શક્યાં જે,
એટલે કારણ વગર જે લેખમાં કીધાં કરારો.
કયાંય નજરે ના પડ્યો એ મધદરિયા નો કિનારો,
એકલી ખારાશ આપી, એમ દરિયો કેમ ખારો ?
હા હજુ પણ એટલો વિશ્વાસ છે તારા ઉપર,
કયાંક મારી ડુબતી એ નાવનો છે તું કિનારો.
આખરે એના વિશે લખવા મથું તો , "સુર્યદિપ",
તો ફકત એનું જ આવે નામ,નથી બીજા વિચારો.
"સુર્યદિપ"