શ્રીરામ છે પાલનહાર
જેના ભક્તિનાં રંગમાં રંગાઈ , રચી રચના ,
એવા મારા વ્હાલા શ્રીરામ છે પાલનહાર .
મહાપુરુષ સમાં વિદ્વાન ને કુકર્મોને હણનાર ,
દૃઢપ્રતિજ્ઞ , ગુણવાન શ્રીરામ છે પાલનહાર .
ભાતૃધર્મ નિભાવી , પરસ્ત્રીને માત સમ ગણનાર, અહલ્યાંનો ઉદ્ધાર કરનાર શ્રીરામ છે પાલનહાર .
સુગ્રીવને સહાય કરનાર ને વાલીને મુક્તિ અપાવનાર ,
મર્યાદા પુરુષોત્તમ , સીતાપતિ શ્રીરામ છે પાલનહાર .
રાવણનો વધ કરી , વિભીષણને રાજ્ય સોંપનાર ,
અલંકારમંડિત , કૃતજ્ઞ શ્રીરામ છે પાલનહાર .
' પ્રાણ જાય પણ વચન ન જાય ' નાં ટેકે ટેકનાર ,
સત્યવાદી , કીર્તિમાન શ્રીરામ છે પાલનહાર .
દશરથ - કૌશલ્યાનંદન ને અયોધ્યાનાં રાજકુંવર ,
રઘુકુળ વંશના કરુણામૂર્તિ શ્રીરામ છે પાલનહાર .
સામર્થ્યશાળી , સકારાત્મક વચનનાં પંથે ચાલનાર ,
ધર્મજ્ઞ , કર્તવ્યનિષ્ઠ , વીર્યવાન શ્રીરામ છે પાલનહાર .
'રા' જ્ય સોંપી , 'મ' ર્યાદા જાળવી , 'જી' ત મેળવનાર ,
મુજ પર નિત ' કૃપા ' વરસાવનાર શ્રીરામ છે પાલનહાર.
- કૃપા દીપક સોની
( માંડવી - કરછ )