વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્રીરામ છે પાલનહાર

જેના ભક્તિનાં રંગમાં રંગાઈ , રચી રચના ,

એવા મારા વ્હાલા શ્રીરામ છે પાલનહાર .


મહાપુરુષ સમાં વિદ્વાન ને કુકર્મોને હણનાર ,

દૃઢપ્રતિજ્ઞ , ગુણવાન શ્રીરામ છે પાલનહાર .


ભાતૃધર્મ નિભાવી , પરસ્ત્રીને માત સમ ગણનાર,  અહલ્યાંનો ઉદ્ધાર કરનાર શ્રીરામ છે પાલનહાર .


સુગ્રીવને સહાય કરનાર ને વાલીને મુક્તિ અપાવનાર ,

મર્યાદા પુરુષોત્તમ , સીતાપતિ શ્રીરામ છે પાલનહાર .


રાવણનો વધ કરી , વિભીષણને રાજ્ય સોંપનાર ,

અલંકારમંડિત , કૃતજ્ઞ શ્રીરામ છે પાલનહાર .


' પ્રાણ જાય પણ વચન ન જાય ' નાં ટેકે ટેકનાર ,

સત્યવાદી , કીર્તિમાન શ્રીરામ છે પાલનહાર .


દશરથ - કૌશલ્યાનંદન ને અયોધ્યાનાં રાજકુંવર ,

રઘુકુળ વંશના કરુણામૂર્તિ શ્રીરામ છે પાલનહાર .


સામર્થ્યશાળી , સકારાત્મક વચનનાં પંથે ચાલનાર ,

ધર્મજ્ઞ , કર્તવ્યનિષ્ઠ , વીર્યવાન શ્રીરામ છે પાલનહાર .


'રા' જ્ય સોંપી , 'મ' ર્યાદા જાળવી , 'જી' ત મેળવનાર ,

મુજ પર નિત ' કૃપા ' વરસાવનાર શ્રીરામ છે પાલનહાર.

                          

                                            -  કૃપા દીપક સોની

                                             ( માંડવી - કરછ )

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ