વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 19 અંતિમ ભાગ

પ્રિય. આસવ જી,

 

         ' પ્રેમ' વ્યકિતને ક્યાંથી ક્યાં લઇ જાય છે? મને આજે એ દિવસ યાદ આવે છે,જ્યારે હું ઉદાસીન સાંજે અમંગળ વિચારી નદી કિનારે દુઃખી હૃદયે જતી હતી,અને ત્યાં જ શબ્દસેતુ એ મને પોતાનાં તરફ ખેંચી લીધી....


        શબ્દસેતુ ખરેખર તો  ઈશ્વરે જાણે તમને મળવાનું બહાનું મારા માટે શોધી કાઢ્યું. ડિસ્પ્લે બોર્ડ ની પંક્તિ વાંચી ને થોડી વાર માટે હું પોતાની જાતને ભૂલી પ્રિયા માં પરોવાઇ ગઇ. અને બસ પછી તો  મારા કદમ  તમારા તરફ અને મારા શોખ તરફ વળી ગયા મારી જાતને પ્રેમ કરવા લાગી.હું કોઈ માટે ખાસ છું તેવો ભાવ જ મને પ્રેરણા આપતો હતો.

         લાગણી એક તરફી હોય તો કદાચ એક વ્યક્તિ ખુશ થાય પરંતુ અહીં તો પ્રેમ બંને પક્ષે છે. તમારો પ્રેમ મારામાં ખીલ્યો મારા ફૂલોમાં, મારા બગીચામાં અને  મારી જીત ની સુગંધ માં અને મારો પ્રેમ ખીલ્યો તમારી કવિતામાં તમારા વિચારોમાં અને એ દ્વારા 'પ્રેમ વિચારોનો' પુસ્તક દ્વારા......

         . હા આજે હું સૌથી વધારે ખુશ થઈ. શબ્દ સેતુના પુસ્તકાલયમાં......જ્યાં તમે મને નવી જિંદગી આપી ત્યાં તમારા અને મારા પત્રોનું પ્રેમ વિચારોનો પુસ્તકરૂપે વિમોચન થયું અને તે પણ તમારા જ હસ્તે.

           મેં જ્યારે અક્ષતને તમારા વિશે વાત કરી ત્યારે તેમણે જ મને આ વિચાર આપ્યો કે મારે પણ તમારી મિત્રતાને એક યાદગાર સંભારણું આપવું જોઈએ અને બસ તમારા અને મારા પત્રો પ્રેમ વિચારોનો પુસ્તક રીતે લોકો સમક્ષ આવ્યા પલાશ અને પ્રિયાના પત્ર સ્વરૂપે.....

           હજુ આ શરૂઆત જ છે તમારા મનગમતા કાર્યની. હું ઈચ્છું છું કે તમારો પ્રેમ વિચારો દ્વારા ,સાહિત્ય માં આવી જ રીતે વિચારતો રહે .તમારા દ્વારા રચિત સાહિત્ય ની બધી કૃતિઓ મારા હૃદયમાં એક નવું સંસ્મરણ સંચિત કરશે.

તમારી કવિતામાં મારા પુષ્પો અને મારા પુષ્પોમાં તમારા વિચારો ની સુગંધ.....

પ્રેમનું આનાથી વધારે હકારાત્મક સ્વરૂપ હોઈ શકે?

            આપણી આ મુલાકાત પણ છેલ્લી મુલાકાત ન હતી .આપણે એકબીજાના વિચારોને પ્રેમ કરી પોતાપોતાના શોખને વાચા આપી દૂર દૂરના પ્રવાસના સાથી પ્રવાસી બનવાનું છે બનાશોને?

                                 આસવ ની ઓજસ........



            વિચારો પ્રેમના બન્યા પુસ્તક રૂપી            સંભારણા સમયના.....

                   પ્રેમ, વિશ્વાસ, શ્રધ્ધા તણા ફુલ ખીલ્યા સ્નેહ સંસ્મરણના....


(સમાપ્ત)


            પ્રેમ વિચારોનો.,.(પત્રો)..…આજે અંતિમ ચરણમાં પહોંચ્યું ત્યારે આસવ અને ઓજસની સાથે સાથે

મારા પ્રિય વાચક વર્ગનો હૃદયપૂર્વક આભાર માનું છું.....

તમારા હૃદય સ્પર્શી પ્રતિભાવોને કારણે જ  મારી કલમ એક લઘુકથા માંથી પત્રોની હારમાળા રૂપે લખવા પ્રેરાઇ.....






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ