પ્રસ્તાવના
રૂમ નંબર 25
લેખક
યુવરાજસિંહ જાદવ
Copyrights
આ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ માધ્યમમાં જાહેર કે ખાનગી પ્રસાર/વ્યવસાયિક તથા બિનવ્યવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડીજીટલ)/ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનૂની છે.
© યુવરાજસિંહ જાદવ
આ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે.
અર્પણ
મારા માતા-પિતાને.
.
.
.
-પ્રિય મિત્રોને.
પ્રસ્તાવના
●ભૂત એટલે શું!!!
લોક માન્યતા મુજબ, કોઇ વ્યક્તિ એટલે સ્ત્રી કે પુરુષ જેની ઈચ્છા અધૂરી રહી છે. તે પોતાની ઈચ્છાને પુરી કરવા માટે આત્મા જ રહીંને આમ-તેમ ભટક્યા કરે છે. જ્યાં સુધી તેની અંતિમ ઇચ્છા પૂરી નથી થતી ત્યાં સુધી તે આત્માને શાંતિ મળતી નથી. સમય જતાં તે જ આત્મા. કાળો છાયો બની જાય છે અને પોતાની ઇચ્છા પૂર્તિ માટે માણસના શરીરમાં પ્રવેશે છે. જો તેની ઈચ્છા પૂરી થઈ જાય તો તે કાળોછાયો કોઈ જાન હાનિ નથી કરતો. પરંતુ, જો ઈચ્છા પૂરી ન થાય તો એ આત્મા ભયંકર રુપ લઈ લે છે.
એવી જ એક અધૂરી ઈચ્છાવાળી આત્માની વાત હું આજે આપની સમક્ષ લઈને આવ્યો છું.
“દુનિયાના દરેક રોગને અસર કરતી દવા એટ્લે પ્રેમ”