વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભગવાન પરશુરામ

ભગવાન પરશુરામ


"દીપાવ્યા ભાર્ગવ કુળના ભવન...ભગવાન પરશુરામ;

અવતર્યા ત્રેતામાં વૈશાખ ત્રીજે...ભગવાન પરશુરામ;

બન્યા જનેતા રેણુકાના જાયા...ભગવાન પરશુરામ;

ભણ્યા જ્ઞાન સંગ ગુરુઓની...ભગવાન પરશુરામ

માન્યા પિતાની આજ્ઞા પ્રથમ...ભગવાન પરશુરામ;

પામ્યા વરદાન જમદગ્નિના વીર...ભગવાન પરશુરામ;

કર્યા સજીવન માતાને સુશીલ...ભગવાન પરશુરામ;

ધર્યું સારંગરૂપે ધનુષ્યનું શસ્ત્ર...ભગવાન પરશુરામ;

કાપ્યા કાર્તિવિયના સહસ્ત્ર કાંડા...ભગવાન પરશુરામ;

જાણ્યા જગતે વિષ્ણુનો જન્મ...ભગવાન પરશુરામ;

આપ્યા દુષ્ટોને મૃત્યુત્તણા દંડ...ભગવાન પરશુરામ;

વસાવ્યા દક્ષિણમાં ગામ દરિયે... ભગવાન પરશુરામ;

વસ્યા મહેન્દ્ર પર્વતની મધ્યમાં...ભગવાન પરશુરામ;

બન્યા મહાન ગુરુ મહાવીરોના...ભગવાન પરશુરામ;

છે તમને નમન સદા-સર્વદા...ભગવાન પરશુરામ."


ગુરુઓ:-વિશ્વામિત્ર,ઋચક,કશ્યપ અને ભગવાન શંકર.


કિશન પંડયા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ