આમુખ કાવ્ય
ભીષ્મ વૈરાગ્ય ધારીને
તજી છે દેહવાસના,
આલંબી આત્મલક્ષ્મીને
સજી છે સ્નેહભાવના,
મનોભાવે નથી જેણે
દુરીચ્છા પાપની કરી,
શીલને સાચવ્યું જેણે
સદા યે સ્નેહને વરી,
ઉપાસે બ્રહ્મશ્રદ્ધાથી
આત્મલજ્ઞ ઊંડે હૃદે,
મહાઅદ્ભૂત કો એવા
સ્નેહના યોગીને પદે,
વસો આ અધૂરાં ગીત
સ્નેહનાં-બ્રહ્મચર્યનાં;
પુરાણાં-નવલાં ત્હો યે
પાળેલાં પુણ્યવર્યનાં.
-૦-