Rupali Dave - (07 May 2021)મહાભારત નું યુદ્ધ થાય એમાં કેટલા લોકો નો અહમ જોડાયેલ હતો?.... પૂછેલ પ્રશ્ન ના જવાબ માં તમારો જવાબ એ હશે કે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન ,બન્ને માં દુર્યોધન ખૂબ અહંકારી હતો ,જ્યારે ધૃતરાષ્ટ્ર નો પુત્ર મોહ અને હસ્તિનાપુર ની રાજગાદી હતી..પરંતુ મહાભારત નું યુદ્ધ એ આ બે લોકોથી નહતું થતું..મામાં શકુની અને કર્ણ એ યુદ્ધ માટેના મુખ્ય પાત્રો હતા..શકુની એ પોતાના ભાણેજ ને બાળપણ થી જ ઝેર પાઈ ને મોટા કર્યા હતા ,પોતાની બહેન એ તો હમેશ માટે આખો પર પટ્ટી બાંધી દીધી હતી.એટલે ભાણેજો ને બધા પ્રકાર ના દુષ્ટ સંસ્કાર નું સિંચન કરી ને વિષ વેલો ને પાંડવો ને દુશ્મન સમજવા પ્રેર્યા હતા..પાંડવો અને કૌરવો સગા પિતરાઈ ભાઈઓ હોવા છતાં ,દુર્યોધન વગેરે ભાઈઓ પાંડવો ને દુશ્મન માનતા હતા .બાળપણ થી લઇ ને યુવાન થાય ત્યાં સુધી કૌરવો એ પાંડવો ને મારી નાખવા ની ખૂબ કોશિશો કરી હતી.. કર્ણ નું સારથી એ પાલનપોષણ કર્યું હતું ,એટલે એ સારથી પુત્ર તરીકે જાણીતો હતો.પરંતુ દુર્યોધન માટે કર્ણ એ ભાઈઓ કરતા પણ વધારે પ્રિય હતો..કર્ણ ને ઘણા ગામો આપીને રાજા પણ બનાવ્યો હતો.કર્ણ પર દુર્યોધન ના ખૂબ એહસાન હતા..કર્ણ ને માટે અર્જુન એ હમેશા પ્રતિસ્પર્ધી હતો ,પોતે વીર બાણવીર તરીકે ઓળખાય એ માટે એ અર્જુન ને યુદ્ધ ના મેદાન માં હરાવી ને મારવા માગતો હતો...મિત્રો એ ચોક્કસ સમજજો કે યુદ્ધ એ કોઈ બે વ્યક્તિઓ ને કારણે નથી થતાં ,વ્યક્તિઓ ની પાછળ એવા કેટલાય લોકો પોતાના અહમ ને પોષવા યુદ્ધ જેવી સ્થિતિ ને તૈયાર કરે છે...મહાભારત ના યુદ્ધ માં પોતાના પુત્રો ના મૃત્યુ પછી પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી મહેલ ના બધા પ્રકાર ના સુખ પાંડવો ના રાજ માં ભોગવતા હતા...વિચાર કરો જે માબાપ ના ૧૦૦ પુત્રો યુદ્ધ માં માર્યા ગયા હોઇ એની મનઃ સ્થિતિ કેવી હોઈ.....હું તો મહાભારત ના યુદ્ધ ને ધર્મ યુદ્ધ કરતા અમુક લોકો ની અહમ ની લડાઈ વધારે માનું છું.