શર્ત એ છે કે....!
* તમે મને બાળી શકો છો - મારી અંદર રાવણ છે....!
પણ શર્ત એ છે કે
તમારી અંદર પણ સંપૂર્ણ રામ હોવો જોઈએ....
* તમે મને નાસ્તિક માની શકો છો - મારી અંદર હિરણ્યકશ્યપ છે....!
પણ શર્ત એ છે કે
તમારી અંદર પણ સંપૂર્ણ પ્રહલાદ હોવો જોઈએ....
* તમે મને કુટુંબીજનોનો હત્યારો ગણી વધ કરી શકો છો - મારી અંદર કંસ છે....!
પણ શર્ત એ છે કે
તમારી અંદર પણ સંપૂર્ણ કૃષ્ણ હોવો જોઈએ....
* તમે મને અધર્મી અને સ્વાર્થી કહી શકો છો - મારી અંદર દુર્યોધન છે....!
પણ શર્ત એ છે કે
તમારી અંદર પણ સંપૂર્ણ ધર્મરાજ યુધિષ્ઠિર હોવો જોઈએ....
* તમે મને મતલબી ગણી શકો છો - મારી અંદર સ્વાર્થભક્તિ છે....!
પણ શર્ત એ છે કે
તમારી અંદર પણ સંપૂર્ણ સ્વામીભક્ત હનુમાન હોવો જોઈએ....
* તમે મને ગ્રહણ કરીને પણ જીવીત રહી શકો છો - હું ખતરનાક ઝહેર છું....!
પણ શર્ત એ છે કે
તમારી અંદર પણ સંપૂર્ણ જગરક્ષક શીવ હોવો જોઈએ....
* તમે મને સત્તાભુખ્યો ગણી શકો છો - મારી અંદર લાલચનું ખોખલાપણું છે....!
પણ શર્ત એ છે કે
તમારી અંદર પણ સંપૂર્ણ નિસ્વાર્થી લોખંડીપુરૂષ સરદાર હોવો જોઈએ....
* તમે મને હિંસક માની શકો છો - હું હિંસાનો પૂજારી છે....!
પણ શર્ત એ છે કે
તમારી અંદર પણ સંપૂર્ણ મહાત્મા ગાંધી હોવો જોઈએ....
* તમે મને ફાંસીએ ચડાવી શકો છો - હું જેમ્સ સ્કોટ નો હત્યારો છું....!
પણ શર્ત એ છે કે
તમારી અંદર પણ સંપૂર્ણ ભગતસિંહ હોવો જોઈએ....