“પ્રથમ પગલું- સાહિત્યના સરનામે"
“પ્રથમ પગલું- સાહિત્યના સરનામે"
પ્રણયની વેદના કોતરવી છે મારે,
શબ્દ રૂપી માયાજાળ બનાવવી છે મારે,
છંદ રૂપી છંદૌલય વર્ણવવા છે મારે ,
અલંકારની અલંકારીતામા છવાઈ જવું છે મારે,
શબ્દરૂપી ગઝલની કેડીઓ કંડારવી છે મારે ,
દુહા મુક્તક ભેગા કરી નવી કવિતાઓ રચવી છે મારે,
શબ્દરૂપી આ માયાજાળ બનાવી,
જીવનની ઘટમાળને વિસરી જવું છે મારે,
પ્રણયની આ વેદનાઓ દ્રારા, સાહિત્ય સ્વરૂપમાં ખોવાઇ જવું છે મારે,
પ્રણયની વેદના કોતરવી છે મારે,
શબ્દ રૂપી માયાજાળ બનાવવી છે મારે.
-ભરત રાઠોડ“રાધેય"
સંપાદક- વિજય શિહોરા