વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અભિમાની સસલો

અભિમાની સસલો

લેખક : અશ્વિન કે પાટણવાડિયા

એક ઘનઘોર જંગલ હતું. તેમા અનેક પશુ-પક્ષીઓ રહેતા હતા. તે જંગલમાં એક અટકચાળો સસલો પણ રહેતો હતો. તે સૌંને ચીડવતો, તે કાગડાભાઇને કહેતો “ તુ તો આખો દિવસ કચ-કચ કર્યા કરે છે, અને ઉપરથી તારો રંગ પણ તારા અવાજ જેવો જ છે”

કાગડાભાઇ આવું સાંભળીને ખુબ જ દુ:ખી થતા અને તે મનોમન ભગવાન ને કહેતા “ હે ભગવાન તે મને આવો રંગ અને અવાજ શા માટે આપ્યા? હું બધા માટે સારૂં કરું છું, છતા હું કોઇ ને પણ ગમતો નથી.”

આમ એક દિવસ કાગડાભાઇ સુનમુન બેઠા હતા,.ત્યા એક કાચબાભાઇ આવ્યા, તે કાગડાભાઇને ઉદાસ જોઇને બોલ્યા “ કાગડાભાઇ આમ ઉદાસ થાવમાં, ભગવાને બધાને જે રંગ રૂપ આપ્યા છે. તે યોગ્ય જ આપ્યા છે” એટલે જ કહુ છું કે “ સારુ રૂપ જોઇને હરખાવુ નહિ અને સારૂ ના હોય તો શરમાવુ નહી”

કાગડાભાઇ : એ કેવી રીતે કાચબાભાઇ?

સસલાભાઇ : એ બધું છોડો સમય આવે ત્યારે તમને આપો-આપ સમજાય જશે. ચાલો અત્યારે દેખો સૂરજ પણ આથમી રહ્યો છે, ચાલો ત્યારે તમે તમારે ઘરે જાઓ ને હુ પણ જાઉ છુ..

બીજા દિવસે  કાચબાભાઇ જંગલમાં ફરવા નિકળ્યા, ત્યા રસ્તામાં સસલાભાઇ મળ્યા.

સસલાભાઇ : કાચબાભાઇ આમ,સવાર- સવારમાં ક્યાં ફરવા જાવ છો? 

કાચબાભાઇ : હું જંગલની સુંદરતા જોવા નિકળ્યો છું.

સસલાભાઇ : મને પણ જંગલમાં ફરવાનું ખુબ ગમે છે, હુ પણ તમારી સાથે આવું છું.

કાચબાભાઇ : ભલે ત્યારે ચાલો, વાતો કરતા કરતા જંગલમાં ફરવાની મઝા આવશે.

(થોડે દુર ચાલ્યા બાદ) સસલો બોલ્યો શું કાચબાભાઇ આમ કીડી જેવુ ધીમું-ધીમું ચાલો છો? મને જૂઓ હું કેવો ચાલું છું...પણ તમારાથી ન ચલાય, આમય ચાલવા, કુદવા અને દોડવામાં અમારો જ નંબર આવે... ખરુને કાચબાભાઇ?

કાચબાભાઇ : ચાલવા કુદવાની!  એ ખબર નથી, પણ દોડવાની ખબર છે. 

સસલો : શું ખબર છે?

કાચબાભાઇ : મારી દાદીમાં મને કહેતી હતી કે “ એક વાર તમારા જેવા સસલાભાઇ સાથે અમારા જેવા કાચબાભાઇ સાથે દોડવાની હરિફાઇ થયેલી,ને તેમાં તમારા સસલાભાઇ  હારેલા” બોલો સાચુ કે ખોટું ? (સસલાભાઇની તો બોલતી જ બંધ થઇ ગઇ.)

સસલો : (થોડું અટકતા-અટકતા) એ ખરૂ પણ એ..એ... અમારા સસલાભાઇની તબિયત સારી ન હતી. એટલે,  નહિતર અમે હારીયેજ નહી. અમારી વાત જ અલગ છે, અમસ્થા થોડા બધા અમને બહાદુર સસલાભાઇ કહેતા હસે!

કાચબો : તમે સાચે જ કોઇથી નથી ડરતા?

સસલો : હા..હા...હાસ્તો વળી અમે તો બહાદુરના બેટા....

આમ વાતો-વાતોમાં ક્યારે સાંજ પડી, તેની પણ તેમને  ખબર ન રહી.. ( સસલાભાઇ અંધારાથી ખુબ જ ડરવા લાગ્યા, પણ કરે શું ? પોતાની ખોટી ડંફાસો ના કારણે બીચારા શું બોલે.)

કાચબો : સસલાભાઇ હવે આપણે અહીં જ સૂઈ જઇએ.તમે તો બહાદુર છો, એટલે મારે ડરવાની જરૂર નથી, આમ કહી કાચબાભાઇ નિરાંતે સૂઈ ગયા.  પરંતુ સસલાને તો ઉંઘ જ કેમ આવે, એ ભારે બીકણ હતા, તેથી તે કાચબાને એકલા મુકી એક ઝાડીમાં બખોલ બનાવી છુપાઇ ગયા..

થોડીવાર બાદ ત્યાં સિંહ આવ્યો, તેને મોટેથી ગર્જના કરી તેથી કાચબાભાઇ જાગી ગયા ને, આમતેમ જૂએ છે તો સસલો નથી. ને સામે સિંહ ઉભો છે. સિંહને  જોઇ કાચબાભાઇ થોડા ગભરાય ગયા..

સિંહ : એય કાચબા, મને ખુબ જ ભુખ લાગી છે. તેથી હું તને ખાઇ જઇશ.

કાચબો : અરે!..અરે! પણ મહારાજ તમે મને કેવી રીતે ખાય શકો? મારુ શરીર તો ખુબ જ મજબુત છે.

સિંહ : મજબુત, લાય મને જોવા દે, એમ કહી તેને કાચબા ઉપર પગ મુકી ચકાશી જોયો. પછી બોલ્યો તારી વાત તો સાચી છે, પણ મને અહીંયા સસલાની ગંધ આવે છે. તે એને ક્યાક જોયો છે?

કાચબો : ન મહારાજ, મેં એને નથી જોયો.. પછી સિંહ ત્યાથી ચાલ્યો ગયો. અને સિંહ જતા રહેતા સસલાભાઇ બહાર આવ્યા.

સસલો : સારૂં થયું કે તમે મારુ નામ ન આપ્યું, નહિતર આજે તો એ સિંહ ને છઠ્ઠીનુ ધાવણ જ યાદ કરાવી દેત.

કાચબો : ધાવણ ! મને ખબર છે, કોણ કોને  છઠ્ઠી ધાવણ યાદ કરાવત, છઠ્ઠીનુ ધાવણ યાદ કરાવવુ હતુ તો શા માટે મને એકલો મુકી જતા રહ્યા હતા. ખોટી ડંફાસો ન મારો, હવે તારું ખોટુ અભિમાન નહિ ચાલે. આજથી તારી મારી મિત્રતા પૂરી..

આમ કહી ત્યાંથી કાચબો ઘરે આવી ગયો, અને કાગડાભાઇને બધી વાત કરી. અને તમે કાગડાભાઇની ટેવ તો જાણો જ છો મિત્રો..ત્યાર બાદ કાગડાભાઇ તો આખા જંગલમાં ઉડતા ઉડતા કહેવા લાગ્યા કે સસલો બહાદુર નથી. પણ ડરપોક છે. તેથી સસલાભાઇનું નામ હવે ડરપોક સસલો પડી ગયું...

આવુ સાંભળતા સસલાને ખુબ જ ગુસ્સો આવ્યો, તેને કાગડાને મારી નાખવાનુ નક્કી કર્યુ. આમ વિચારી તે કાગડા પાસે જઇને લંગડાતા-લંગડાતા ચાલવા લાગ્યો..

કાગડો : કેમ સસલાભાઇ શું થયુ ?

સસલો : મને પગે કાંટો વાગ્યો છે, તમે મને કાંટો કાઢી ન આપો?

       (કાગડાભાઈ ભોળા હતા, તે જલદી કાગડાની વાતમાં આવી ગયા,)

કાગડો : કેમ નહી લો હમણા જ તમારો કાંટો કાઢી આપું છું. કાગડો કાંટો કાઢવા જેવો નીચે આવ્યો કે, સસલાએ કાગડાને  પકડી લીધો.અને એક વેલાથી બાંધી દિધો. અને જેવો મારવા જતો હતો, ત્યાં સિંહ આવ્યો. સિંહને જોઇને સસલાભાઇ ગભરાઇ ગયા, છતા તે વિચાર કરી બોલ્યો “ મહારાજ તમે આવશો તેવી મને ખાત્રી હતી, તેથી મે તમારા માટે આ સવારનો નાસ્તો તૈયાર કરી રાખ્યો છે.

સિંહ : ક્યાં છે મારો નાસ્તો ?

સસલો ; આ રહ્યો મહારાજ પેલો કાગડો.

સિંહ જેવો ખુશ થઈને કાગડાને ખાવા જતો હતો, ત્યાં કાચબાભાઇ આવી ગયા. ને તે મહારાજને પ્રણામ કરી બોલ્યો,  મહારાજ, તમે તો મહારાજ કહેવાને લાયક જ નથી.

સિંહ ;(ગુસ્સામાં લાલ-પીળો થઇ) એટલે તું કહેવા શું માંગે છે કાચબા, તારૂં દિમાગતો ઠેકાણે છેને?

કાચબો : અરે! મહારાજ, જરા તો વિચાર કરો, આ કાગડાભાઇ કેટલા ગંદા અને કાળા-કાળા છે. અને એના શરીરમાં પીંછા સિવાય કાઇજ નથી. અને જરા આ સસલાને જૂઓ, જોતા જ તમારા મ્હોંમા પાણી આવી જાય. કેટલા સુંદર અને અને માંસથી ભરપુર છે.

સિંહ : તારી વાત તો સાચી છે. હા કાચબા, અને તે સસલાને પકડીને ખાય ગયો. અને ત્યાંથી જતો રહ્યો.

કાગડા : રડતા-રડતા કહેવા લગ્યા, કાચબાભાઇ તમે ના આવ્યા હોત તો, આજે મારા રામ રમી જાત. તમારો આભાર કાચબાભાઇ..

કાચબો : મેં તને નથી બચાવ્યો, તમને તમારા રંગરૂપે જ બચાવ્યાં છે, જે તમને ગમતા ન હતા તે...

કાગડો : સાચે જ કાચબાભાઇ તમારી વાત મને આજે સમજાય ગઇ, ભગવાને જે રંગરૂપ આપ્યા હોય છે, તે યોગ્ય હોય છે. તેનુ આપણે દુ:ખ ન રાખવુ ન જોઇએ.

કાચબો: હા ભાઈ એટલે તો કહું છું. કે...પોતાના રૂપ માટે ખોટા હરખાવું કે શરમાવું ન જોઇએ........

    બોધ: આપણને ઇશ્વરે જેવું રંગરૂપ આપ્યું છે,તેનો ઈશ્વરની ભેટ સમજી, સ્વિકાર કરવો જોઈએ... 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ