ભોલેનાથ શંકરા
'કેદારનાથ', ભયાનક રાત્રિએ તાંડવ નૃત્ય કરીને ત્રિભુવનને ધ્રુજાવી રહ્યા હતા. આકાશમાં થતાં વીજળીના કડાકા જાણે આસુરી તત્ત્વોને સંહાર પહેલાં ચેતવી રહ્યા હતા. કુદરતનું આ વિકરાળ રૂપ યાત્રિકોને ધ્રુજાવી રહ્યું હતું. પોતાની નજરોની સામે જ વહી રહેલા મૃતદેહ અને કડડભૂસ થતી ઈમારતો, પોતાના સ્વજનોથી અનાયાસે વિખૂટી પડેલી એ ધાર્મિક, શ્રીમંત સ્ત્રીના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરી રહયા હતા. કદાચ જીવનની સઘળી રઝળપાટને શૂન્ય ગણાવી પરમ સત્યના દર્શન કરાવી રહી હતી.
ત્યાં જ અચાનક અંધારામાં કંઇક પગરવ સંભળાય છે. કોક ઈશ્વરીય દૂત પ્રકાશ પાથરી 'જીવ જ શિવ છે' એવો અહેસાસ કરાવીને 'ભોલેનાથ શંકરા' ની ભભૂતિ પ્રસરાવી જાય છે.