રાવણદહન
રાવણદહન કરતા પહેલાં એક બાળકીએ મને સવાલ પૂછ્યો,
વેધક સવાલ થકી જાણે મારાં પર જ પ્રશ્નાર્થ મૂક્યો.
પૂછ્યું મને કે હતી અપહરણ થયેલ સીતા સુરક્ષિત રાવણરાજમાં,
શું આજે હું સુરક્ષિત છું, બહાર તો છોડ, મારા ખુદના ઘરમાં?
જો તારો જવાબ 'હા' હોય, તો જ આ રાવણને બાળ,
બાકી, છોડ આ મશાલ ઝાંખી ભીતર એ રાક્ષસને માર.
મૌન રહ્યો હું એ બાળકી આગળ, લાગ્યું જાણે ઉત્તર ખૂટ્યો,
હાથમાં આપી મશાલ કહ્યું, જા આ રાક્ષસ તને સોંપ્યો.
A poem by હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ'