શ્રીમદ્દ ભગવદ્ગીતા... પૃથ્વી પર નું અમૃત
એક વાર મને સાંભળીને તો જો,
તારૂં ઉચાટ મન શાંત ના થાય તો કે'જે!!
એક વાર મને વાંચીને તો જો,
તારૂં ચંચળ મન સ્થિર ના થાય તો કે'જે!!
એક વાર મને જીવનમાં ઉતારીને તો જો,
તારાં બધાં સવાલો ના જવાબ ના મળે તો કે'જે!!
એક વાર મારા સિદ્ધાંતોને જીવનમાં અપનાવીને તો જો,
તારી અસફળતા સફળતામાં ના પરિણમે તો કે'જે!!
એક વાર મારાં જ્ઞાનને માનીને તો જો,
તારી અજ્ઞાનતા દૂર ના થાય તો કે'જે!!
એક વાર મારી વાણી " શ્રીમદ્દ ભગવદ્ગીતા" ને માનીને તો જો,
તારાં જીવનનો સાચો અર્થ ના સમજાય તો કે'જે!!
"શ્રી ગીતા જયંતિ ની સૌને હાર્દિક શુભકામના..????????"
જય શ્રીકૃષ્ણ.. જય યોગેશ્વર..
✍️- ખ્યાતિ સોની "લાડુ"