આજના રામ
રોજ રોજ અહીં કેટલીય જાનકીની લાજ લૂંટાય છે
દ્રૌપદીના ચીરહરણ તો દરરોજ અહીં થાય છે
કામ ક્રોધ ભોગ વિલાસ અને જલસા કરાય છે
સંબંધોને દાવ ઉપર અહીં દરરોજ મુકાય છે
કેટલીય સીતાઓની અગ્નિપરિક્ષા રોજ રોજ લેવાય છે
કૂખમાં જ કેટલીય વૈદેહીઓના પ્રાણ અહીં પીંખાય છે
સત્યને ના સાંભળે, ખુદનું જૂઠ બસ પોકારીને બોલાય છે
ખોટાને કરે સત સાબિત તે અહીં શિક્ષિત કહેવાય છે
અહંકાર ,આકર્ષણ, અનૈતિકતામાં આળોટતા આ જંગલમાં
કેટલીય સિયાના શિયળ રોજ રોજ વેચાય છે,
છતાં રાવણના પૂતળા બાળે તેને રામ કહેવાય છે!