છ માળ ( ૨૬*૨ )
કલાઈવ નામના અંગ્રેજ અમલદારે લોકોને લૂંટીને છ માળનું એક મકાન બનાવેલું.તે જયારે અમલદાર હતો ત્યારે એના ચમચાઓ તેને ખંભા પર બેસાડીને છ માળ ચડાવતા હતા.
પાછલી વયે ચોથા માળના પગથિયાં ચડતી વખતે અસ્થમાને લીધે તે મૃત્યુ પામ્યો ત્યારે લોકોને એના મૃત્યુની જાણ એના મૃતદેહની દુર્ગંધને લીધે છેક છઠ્ઠા દિવસે થઈ હતી.