Brijesh Raychanda - (13 May 2021)આ આખી માયા એ કોથળાની જ છે. જે ધાર્યા પછી પણ ખાલી થતો જ નથી...વિચારોને ઝણ ઝણાવી દે એવું લખ્યું છે...ખૂબ જ સરસ...
11
ભૂમિધા પારેખ - (06 March 2021)અફર સત્ય. બસ એ કોથળો ખાલી કરતા પહેલા અધૂરો ન રહી જાય એવી જ ઈચ્છા. અન્યોને ભરેલો કોથળો આપી જવો એના કરતાં વધારે સારું છે કે આપણાં જ અંગો અન્યોને આપી જવા. એક ઉમદા કાર્ય કરી જવું, જેથી કદાચ પેલો કોથળો સંપૂર્ણ ખાલી ન થયો હોય તો પણ અંતરાત્મા પર એનો બોજો નહીં રહી જાય. ખૂબ સચોટ પત્ર.👍🏻👍🏻
11
જ્યોતિન્દ્ર મહેતા - (05 March 2021)કોથળો ક્યારેય ખાલી થતો નથી. એ એક દિવસ આવશે એ અપેક્ષાનો ભાર તો કોથળામાં રહેશે. હું તો કહીશ શા માટે એની રાહ જોવાનો ભાર રાખવો. જે છે એ આજ છે. રાત્રે વિચારું કે શું આજનો દિવસ આનંદમાં વિત્યો તો એ વિચારીને ખુશ થઈ જાઉં અને આજના દિવસમાં કોઈ તકલીફ થઈ તો એ વિચારીને ખુશ થાઉં કે કોઈ ખરાબ કર્મનું ફળ મળ્યું એટલે માથેથી ભાર ઓછો થયો. આમ જ એક દિવસ ખરાબ કર્મોની અને સારા કર્મોનો કોથળો ખાલી થશે(કંઈક સારું થયું એનો મતલબ સારા કર્મનો હિસાબ ચૂકતે થયો) ત્યારબાદ અંદર રહેલા આત્માને અનંતમાં વિલીન થવાનો મોકો મળશે. જ્યાં સુધી કર્મોનો કોથળો ખાલી નહીં થાય ત્યાં સુધી ફરીફરીને પાછા આવવું પડશે અને દરવખતે જીવનનો સામનો કરવો પડશે.
11
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (03 March 2021)ઓહો હો શું વાત છે, 'મૃત્યુ ને પ્રેમપત્ર' એક અલાયદો પણ સર્વ થી પરે ને સત્ય થી ભરપુર વિષય ફરી વાંચવા મળ્યો. કહે છે ને કે, ' કાલ કોણે જોઈ છે..' ના કરે નારાયણ ને જે કાલ થવાનું હોય એ આજ થાય ને હોઈ શકે કે જે આજ થવાનું હોય તેને વર્ષો થઈ જાય. બધો નિયતી નો જ ખેલ છે અને આપણે સૌ એના માનીતા કિરદારો. પ્રકૃતિ ની ખરેખર તો એ સુંદરતા જ છે કે તેણે આપણને સૌને જન્મ અને મૃત્યુ ની સુંદર ભેંટ આપી છે. કેમ કે જે મૃત્યુ ને પામે છે તે એક નવા જન્મ ને પણ પામે છે. એક જવાબદારી નું ચોલું ઉતારી ફરી એક સુંદર દુનિયા માં પગ મૂકી તેમાં ખીલવાનો એક નવો મોકો. ખુદને સાબિત કરી નીખારવાનો વધુ એક પથ.. મૃત્યુ ને પણ આટલી સુંદર નજરે જોઈને તેને આટલો સુંદર રીતે પ્રેમ કરી તેની બાહો માં સમાઈ જવાનો આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી તે આપનાં વ્યક્તિત્વ ને ઓર નિખારે છે. પુરુષ ખૂબ જ મજબૂત કાળજા નો માનવી છે તે આપણા સમાજની એક સામાન્ય સમજ છે. પરંતુ એ જ પુરુષ પોતાની દરેક ઈચ્છા, આકાંક્ષા ને બાજુ પર રાખી સતત ઘર ની દરેક વ્યક્તિ ને ખુશ કરવા ઝઝૂમતો રહે છે, જે દરેક સ્ત્રી પણ કરે છે. આખું જીવન જે દરેક ની ખુશીનું ધ્યાન રાખ્યું તે મૃત્યુ બાદ પણ પોતાનાં દેહદાન થી અનેક લોકોને ખૂશી ની ભેંટ આપવા માટે તત્પર છે તે આપની હિંમત અને વ્યક્તિત્વને પ્રકાશિત કરી રહ્યું છે. અદ્ભુત ભગીરથભાઈ જીવન સુંદર છે તો મૃત્યુ પણ સુંદર જ છે, જ્યાં વ્યક્તિ પ્રભુ માં એકાકાર થઈ એક નવા જન્મ ને પામે છે. આ એક નવા વિચાર ની લાગણી અનુભવી શક્યા આપનાં આ પ્રેમપત્ર થકી..!! બસ, જીવન ની દરેક પળ ખૂબ જ સુંદર ને પ્યારી છે તો આપ e દરેક પળ ને સુંદર ને ખુશીથી માણતા રહો તેવી શુભેચ્છા આપને..!! ને હા, સાચી વાત આપની ' નામ માં શું રાખ્યું છે..? જીવી તો એવું જઈએ કે લોકો નાં દિલ પર મૃત્યુ પછી પણ રાજ કરીએ..!' 👌👌👍
12
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (02 March 2021)ખૂબ સરસ..ભગીરથ સર...ખરેખર આપનો આટલો સરસ પત્ર વાચવા, બિરદાવવા,ને આપને ફોલો કરવામાં મોડી છું..વ્યસ્તતા ને લીધે છે ક આજે ગૃપમાં "આપે પણ મૃત્યુ ને પત્ર લખ્યો " એ શબ્દો એ ધ્યાન ખેંચ્યું..માફી સહ આપના પ્રતિભાવ ની રાહમાં..🙏
11
પલ્લવી કોટક - (02 March 2021)ખૂબ સરસ, આખી જિંદગીની ફિલોસોફી આવી ગઈ આમા... પણ હા આ કોથળો ખાલી થવો મુશ્કેલ છે દોસ્ત, એ અક્ષય પાત્ર જેવો છે.
11
માનસી પટેલ'માહી' - (02 March 2021)ઓહઃ શું કહેવું? જે પણ કહીશ શબ્દો ઓછા પડશે. આખી જિંદગીની જંજાટ અને જેના માટે સતત વલખા મારીએ છીએ એ કોથળાને આપ સરળતાથી સમજાવી ગયા. સત્યતાને પાયે મૃત્યુ સૌથી અવ્વલ આવે. કેટલું મહત્વ હોય આ જિંદગીનું અને જ્યારે સંતુષ્ટ થઈ જઈએ ત્યારે સંપૂર્ણ રીતે જીવને એનામાં સમાવી લે. આ તારું, મારુ, દોડધામ, પ્રેમ, લાગણી, વ્હાલ, નફરત, ધિક્કાર બધાથી પર થઈ એ શાશ્વત રહેવાનું. ખુલ્લા દિલે મૃત્યુને જે લખ્યું છે એના માટે નતમસ્તક છું. દેહદાન કરી મૃત્યુની સાથે જશ્ન મનાવવાની ઈચ્છા વ્યક્ત કરી આ જિંદગીના કર્મ, ધર્મ અને મર્મ સાથે જાણે એનું ઋણ અદા કરી દીધું. આપના લેખનને મારા વંદન કારણકે સાચું કહું તો કરન્ટ અને વાસ્તવિક લેખોથી અવગત હોઈ આપની પાસે આવા લેખનની વધુ અપેક્ષા નહોતી કરી. પ્રેમ અને લાગણીઓ આલેખવામાં આપ કામયાબ થઈ ગયા આને સતત શબ્દોમાં આગળ ધપાવજો. આ સ્પર્ધા માટે આપને આગોતરી શુભેચ્છાઓ.