હું પ્રકાશ, થોડો શબ્દોમાં જીવી જાઉં છું,સાયરીમાં મારા દિલની વાત કહી જાઉં છું.એકલા રહેવું મને ગમે છે બહુ,કારણ કે એકાંતમાં જ ખુદને શોધી લઉં છું.જીવનમાં થોડા દુઃખ અને પરેશાનીઓ છે,પણ હિંમતથી દરેક પળને જીવી લઉં છું.પ્રેમમાં મળ્યો છે દગો, પણ દિલ ન હાર્યું,એ જ પીડા મારી કલમમાં સાજ બની પાર્યું.આસુઓને શબદોમાં ફેરવી દુનિયાને સંભળાયું છુ..!
Book Summary
આ કાવ્યોમાં એક એવા વ્યક્તિનું દુઃખ દર્શાવાયું છે જે કોઈ પ્રિયને ગુમાવી ચૂક્યો છે, પરંતુ તેની યાદોથી અલગ થઈ શકતો નથી. બહારથી તે હસે છે, જીવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અંદરથી ખાલીપો અને તરસ સાથે જીવે છે. સમય પસાર થાય છે છતાં પ્રેમની છાપ દિલમાંથી મટતી નથી. હકીકતમાં મળવાનું શક્ય નથી, છતાં યાદોમાં એ વ્યક્તિ આજે પણ જીવંત છે. આ લખાણ એ વાત કહે છે કે જેને દિલથી પ્રેમ કર્યો હોય, તે ક્યારેય યાદોમાંથી જતું નથી—એ હંમેશા ધબકારાંમાં જીવતું રહે છે.