એક હોમિયોપેથીક ડૉક્ટર છું પણ પ્રેક્ટિસની સાથે લેખન મારાં જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. અઢી વર્ષના ટૂંકા ગાળામાં વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર પચાસથી વધારે નવલકથા અને ટૂંકીવાર્તાઓ લખીને નવી પેઢીનાં વાચકો માટે લોકપ્રિય ઓનલાઇન લેખિકા તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. સ્વતંત્ર લેખક તરીકે...More
એક હોમિયોપેથીક ડૉક્ટર છું પણ પ્રેક્ટિસની સાથે લેખન મારાં જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. અઢી વર્ષના ટૂંકા ગાળામાં વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર પચાસથી વધારે નવલકથા અને ટૂંકીવાર્તાઓ લખીને નવી પેઢીનાં વાચકો માટે લોકપ્રિય ઓનલાઇન લેખિકા તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. સ્વતંત્ર લેખક તરીકે 'ખામોશી' અને 'પગરવ' બે હાર્ડકોપી પુસ્તકો પ્રકાશિત થયાં છે તથાં સહલેખિકા તરીકે અન્ય પાચ પુસ્તકોમાં યોગદાન આપ્યું છે. અલગ અલગ વિષયોમાં લખ્યાં બાદ આપને હંમેશાં ભરપૂર મનોરંજન અને ઉત્તમ લખાણ પણ અચૂક મળશે એનો આપને વિશ્વાસ અપાવું છું.
ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"
Book Summary
જ્યારે જીવનમાં પ્રેમ સાચો હોય છે ત્યારે બે વ્યક્તિઓને એકમેક માટે અનહદ વિશ્વાસ અને સંપૂર્ણ સમર્પણની ભાવના હોય છે. જીવનનાં ગંભીર ઉતાર-ચડાવમાં પણ એકમેકનો સાથ ન છોડવો એ નિર્મળ પ્રેમની નિશાની છે. આવા જ એક નિર્દોષ, આત્મીયતા અને સમર્પણભર્યાં પ્રેમની કહાની એટલે ‘પગરવ’! સમર્થ અને સુહાની નામનાં બે સોહામણા, ભણેલાગણેલા, સંસ્કારી યુવાન અને યુવતીનાં સંઘર્ષ ને દર્શાવતી એક અચૂક વાંચવા જેવી સુંદર પ્રેમકથા એટલે જ ‘પગરવ’! એકબીજાને મેળવવા કે સાચાં પ્રેમને પામવા માટે કોઈ શું શું કરી શકે છે અને કઈ હદ સુધી જઈ શકે છે એનું સુંદર આલેખન છે. અંત સુધી જકડી રાખે એવી મનોરંજક ભાષાંમાં લખાયેલ છે આ નવલકથા!