થોડી ધીરગંભીર અને દુઃખદ પાસા આવરી લેતી આ કહાણી છે. અંધકારની ગર્તામાં ભલે વાદળની સોનેરી કોર પણ ન દેખાતી હોય, અંતમાં તો સૂરજ પ્રગટે જ છે… કે ધરતી કરવટ બદલે છે. વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળે જ છે. દુઃખ એ હતાશામાં સરી પાડવા માટે નહીં પણ પડી પડીને વધારે મજબૂત બનાવવા દેખા દે છે, એ સમજાવવું આ નવલકથાનો મુખ્ય હેતુ છે. કોઈ એક વ્યક્તિ પણ પ્રેરણા લઈને આગળ વધે કે માનસિક શાંતિ અનુભવે તેવી અભ્યર્થના સહ… (પરિચય - “જિંદગી એક અંજાન, અણધાર્યા વળાંકો લેતી સફર છે અને હું છું આ ભૂલભૂલૈયામાંથી માર્ગ કાઢીને નવી કેડી કંડારવામાં મશગૂલ "રાહી". Doctor by profession and author by passion. વ્યવસાયે ડૉક્ટર છું, અમેરિકામાં પ્રેક્ટિસ કરું છું, પણ મારા નામ આગળ લેખક લગાડવાનું વધારે ગમે છે. લખતાં લખતાં જ હું પોતાને મળું છું, જે રોજબરોજની જિંદગીમાં ક્યાંક ખૂણામાં ધકેલાઈ જાય છે.” - હિરલ બેન્કર શાહ ‘રાહી’)