બળાત્કાર એક એવો અપરાધ છે જે ઘણી બધી જિંદગીઓ સાથે રમત રમે છે. એમાંય જો આ અપરાધ કરનારને સજા ના મળે તો ફરિયાદીને ખૂબ જ ખરાબ માનસિક અસર થાય છે. કંઈક આવું જ થયું અનુ સાથે. અનુ એ દિવસે એના મિત્રો સાથે કાકાની પાપડી ખાવા ગઈ હતી. ત્યાં જ એક અનિચ્છીત ઘટના ઘટી ગઈ. પણ એ ઘટનાએ કેટલાયે સવાલો ઊભા કરી દીધા, કેટલાયેની જિંદગીમાં હલચલ મચી ગઈ. અને જ્યારે કાયદો મદદે ના આવે ત્યારે મિત્રોએ કેવી રીતે મદદ કરી એની આખી દાસ્તાન એક કાલ્પનિક સફર દ્વારા આ નવલકથામાં બતાવવાની કોશિશ કરી છે. આ ઘટનામાં જો કંઈ સાચું હોય તો એ છે લોકોની માનસિકતા અને મિત્રોની મિત્રતાની ભાવના. પણ શું અનુને ન્યાય મળ્યો ખરો? આવા સવાલોના જવાબ કલ્પનાશક્તિ દ્વારા અપાયા છે. આ નવલકથા દ્વારા ફક્ત અમુક સામાજિક પ્રશ્નોને વાચા આપવા સિવાય મારો બીજો કોઈ જ ઈરાદો નથી. આશા રાખું છું કે આ નવલકથા વાચકોને વિચારતા કરી દેશે. આપના પ્રતિભાવોની રાહમાં,