“સુંદર સવાર જ્યારે-જ્યારે જગાડે છે,
ત્યારે-ત્યારે રાતે આવેલા એ સપનાને,
શાકાર કરવાનો એક નવો મોકો આપે છે.”
એટલે આપણી એક-એક ક્ષણ અમૂલ્ય છે.
કેમકે, કોઈને નથી ખબર કાલે સવારે શું થવાનું છે.
જે છે તે આજે અને અત્યારે જ કરવાનું છે.
ચિંતા ક્યારેય કરવી નહીં. કેમકે, તેનાંથી
આપણી ઉપર આવી પડેલી આફત...More
“સુંદર સવાર જ્યારે-જ્યારે જગાડે છે,
ત્યારે-ત્યારે રાતે આવેલા એ સપનાને,
શાકાર કરવાનો એક નવો મોકો આપે છે.”
એટલે આપણી એક-એક ક્ષણ અમૂલ્ય છે.
કેમકે, કોઈને નથી ખબર કાલે સવારે શું થવાનું છે.
જે છે તે આજે અને અત્યારે જ કરવાનું છે.
ચિંતા ક્યારેય કરવી નહીં. કેમકે, તેનાંથી
આપણી ઉપર આવી પડેલી આફત દુર નથી થતી.
જીવીલો ખુલ્લે આમ જીંદગી,
મરતા પહેલા મનમાં આવેલા એ,
સો સપનાને પુરા કરી બતાવો.
જે ફક્ત તમારા જ સપના છે.
‘ચા’ નો પ્રેમી,
સુખનો સબંધી,
મહાદેવનો પરમ ભક્ત.
અને દરેક ધર્મના ઈશ્વરનો આશીર્વાદ.
આપનો અને ફક્ત આપનો ✍️યુવરાજસિંહ.
yuvrajsinhjadav555@gmail.com
https://www.instagram.com/yuvrajsinhjadav555/
https://www.facebook.com/profile.php?id=100069185992637
tweeter id : @yuvrajs63131385
Book Summary
પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલા ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સામંતે મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગમાં લેવાય, અને જ્યાં સુધી તેની જરૂર નથી ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યો. જેની રચના એ સમયના ગણ્યાગાંઠ્યા મહાન શિલ્પકારોએ કરી હતી. તેઓ એકવાર કોઈ રહસ્યમય ગુફા બનાવીને કોઈ વસ્તુ છુપાવતા તો તેને મેળવવી ખૂબ જ અઘરું કામ બની જતું. એ જ રીતે તેમને તે ખજાનાને ત્યાં જ મંદિરમાં રહસ્યમય ગુફા બનાવીને તેમાં છુપાવ્યો. તેને મેળવવાના માત્ર બે જ રસ્તા હતા. સામંત રાઉભાનનું લોહી અથવા તેના જ વંશનું લોહી મળ્યે જ તે ગુફા અંદર જવાનો રસ્તો મેળવી શકાય. વર્ષો પછી તે ખજાના માટે પાગલ થયેલાં માણસોમાંથી એક રાક્ષસ બહાર આવ્યો. જે સત્તા અને શક્તિનો લાલચી હતો. તેણે ચંદ્રવંશીઓના રાજ્યનો વિનાશ કર્યો અને તે ખજાનાના અંશમાત્રને મેળવીને અડધી જિંદગી જીવ્યો. મળેલા ખજાનાથી આવેલી સતા અને વૈભવથી તે વિદેશ જઈ વસ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે, તેને મળેલો ખજાનો તો ખૂટી રહ્યો છે અને એ ખજાનો તો એ અઢળક ખજાનાની સામે કંઈ જ ન હતો. સાચો ખજાનો તો ચંદ્રતાલા મંદિરમાં છે. ત્યાં સુધી લગભગ બે-એક દાયકાનો સમય વીતી ગયો. હવે, એ જ ખજાનો મેળવવા વર્ષો પહેલાં કરેલો વિનાશ ફરી ભારતમાં આવી રહ્યો છે. એ પણ પહેલાં કરતાં વધુ શક્તિ સાથે. શું ફરી પણ એ ખજાનો એ રાક્ષસને મળશે? ભારતની આઝાદી પછી પણ તે એ ખજાનો ભારતમાંથી લઈ જઈ શકશે કે કોઈ તેને રોકશે? જવાબો જાણવા માટે વાંચો કથા ‘ચંદ્રવંશી’.