ક્યારેક સમય અને સંજોગ માનવીના જીવનમાં એવાં વલયો રચે છે કે, પછી અડધી જિંદગી જેલની કાળમીંઢ દીવાલો વચ્ચે વિતાવવી પડે છે. મનુષ્ય જિંદગીથી હારી જાય ત્યારે અંતે તેના મુખમાંથી 'આ તો કર્મોના ફળ છે' એવા શબ્દો સરી પડે. એવા જ માનવીની કથની એક લેખક પત્રકાર તેના મોઢે સાંભળે અને એ પણ જેલની ચાર દીવાલો વચ્ચે, ત્યારે તેને ગુનેગાર તરફથી નિખાલસતાથી કહેવાતી વાતમાં ક્યારેક ગુસ્સો, ક્યારેક લાચારી તો ક્યારેક બદલાની ભાવના દેખાય છે. લાંબા વર્ણનો વગર જરૂરી સંવાદો થકી આ નવલકથા લખાઈ છે. જે આપને ગમશે. પ્રિય વાચકો, અગાઉના મારાં ત્રણ પુસ્તકોને આપે સારા પ્રતિભાવો આપ્યા છે. આશા રાખું છું કે આ ચોથું પુસ્તક તમોને નિરાશ નહીં કરે.