"સાહિત્ય જગત - કલમ ઓળખ તમારી"
સાહિત્ય જગત એટલે ફકત સાહિત્ય લક્ષી વિચારોને જ પ્રાધાન્ય આપતું ગ્રુપ. આ ગ્રુપની શરુઆત હાર્દિકભાઈ પરમાર, "મહાદેવ", કિરણબેન શર્મા, "પ્રકાશ" અને જાગૃતિબેન કૈલા, "ઊર્જા" એ 25/9/22 ના રોજ કરી.
આ સાહિત્ય જગત ગ્રુપનો આશય રચનાકારને લેખનના દરેક પ્રકારથી માહિતગાર કરવાનો ...More
"સાહિત્ય જગત - કલમ ઓળખ તમારી"
સાહિત્ય જગત એટલે ફકત સાહિત્ય લક્ષી વિચારોને જ પ્રાધાન્ય આપતું ગ્રુપ. આ ગ્રુપની શરુઆત હાર્દિકભાઈ પરમાર, "મહાદેવ", કિરણબેન શર્મા, "પ્રકાશ" અને જાગૃતિબેન કૈલા, "ઊર્જા" એ 25/9/22 ના રોજ કરી.
આ સાહિત્ય જગત ગ્રુપનો આશય રચનાકારને લેખનના દરેક પ્રકારથી માહિતગાર કરવાનો છે. આ હેતુ સિદ્ધ કરવા મહિનામાં બે સ્પર્ધાનું આયોજન થાય છે જેમાં જે પ્રકારનું આયોજન હોય એની વિસ્તૃત માહિતી અપાય છે પછી એ જ પ્રકાર પર સ્પર્ધા આયોજન કરાય છે. આ સ્પર્ધા અંતર્ગત દર વખત અલગ અલગ નિર્ણાયકો દ્રારા તટસ્થ મૂલ્યાંકન થાય છે અને દરેક લખનારને ઉત્સાહ પ્રેરક ડિજિટલ પ્રશસ્તિ પત્ર ઉપરાંત વિજેતાઓને ડિજિટલ સર્ટી આપી સન્માનિત કરવામાં આવે છે.
સ્પર્ધા ઉપરાંત પણ ખાસ દિવસોમાં ખાસ ઉજવણી તો હોય જ. આમ, મા શારદાની કૃપા અને સમગ્ર સાહિત્ય જગતના સભ્યોના સહકાર થકી ત્રણેય એડમિનની મહેનત સફળતા પામી છે.
Book Summary
સાહિત્ય જગત નામના સાહિત્યની પ્રવૃત્તિ કરાવતા સાહિત્ય ગ્રુપમાં પ્રથમ સહિયારું પુસ્તક નાટકની ભરમાર નાટયસંગ્રહ પ્રકાશિત થયું. તેવી જ રીતે બાળવાર્તા સંગ્રહ પણ બનાવ્યું. આ બાળવાર્તા સંગ્રહની અંદર નાના બાળકો માટે અતિ ઉપયોગી એવી વાર્તાઓ સમાવેશ કરવામાં આવ્યો. ખાસ કરીને બાળવાર્તાનાં પાત્રોમાં ગોલુ મોલુ એ નામનો ઉલ્લેખ વધારે આવ્યો અને બાળવિશ્વમાં બાળકોને એવા નામ અતિ પ્રિય હોવાને કારણે જ પુસ્તકનું નામ પણ “ગોલુ મોલુ” રાખવામાં આવ્યું. બાળકો સાવ ભોળા અને દુનિયાના કાવાદાવાઓથી અજાણ હોય છે. તેમના માનસપટ પર દરેક વસ્તુનું, દરેક દૃશ્યનું, એક વિસ્મય હોય છે. તેમની આંખોમાં અજાયબીઓ ભરેલી હોય છે. તેમના મન મગજમાં દરેક વસ્તુ માટે અનેક પ્રશ્નો હોય છે. શું સારું હોય અને શું ખરાબ હોય છે તે તેમને ખબર નથી હોતી. "નાના બાળકો એ કુમળા છોડ જેવા હોય છે. જેમ છોડને વાળીએ તેમ તે વળે." એમ બાળકોની અંદર જેવા સંસ્કારોનું સિંચન કરવામાં આવે તે જ તેની આખી જિંદગી સાથે રહે છે, એટલે જ નાનપણમાં બાળકોને રમત સાથે જ્ઞાનગમ્મત આપવામાં આવે તો બાળકોને તે દીર્ઘકાળ સુધી યાદ રહે છે. ગમ્મત સાથે જ્ઞાનમાં બાળકો માટે બાળવાર્તાએ અતિ પ્રિય ગણાય છે. બાળવાર્તાથી બાળકના નાના મગજમાં ઉત્પન્ન થયેલા અનેક પ્રશ્નોના જવાબ પણ મળે છે અને શીખવા પણ મળે છે. આ બાળવાર્તા સંગ્રહની અંદર ગોલુ મોલુની મસ્તી અને મસ્તીની અંદરથી એમને મળતી અનોખી શિખામણ, સચ્ચાઈના પાઠ, દેશભક્તિ, રાષ્ટ્ર ભક્તિની ભાવના ઉત્પન્ન કરવી, પર્યાવરણ સંબંધિત પ્રશ્નો, તેની નવી જાણકારી, વૃક્ષોનું મહત્વ, ફક્ત માનવો જ નહીં પરંતુ પ્રાણી જગતની પણ ઓળખાણ અને તેમની સાથે તોફાન મસ્તી, પરીઓની વાર્તા અને તેમનાં મનમાં ઉત્પન્ન થતી પરી કલ્પનાઓ, પશુ પક્ષીઓ પણ વાતો કરતા હોય, વૃક્ષો પણ વાતો કરતા હોય, એમને પણ દુઃખ થતું હોય, અરે! દરેક પશુ જગત, પ્રાણી જગત, એમની પણ એક અલગ દુનિયા હોય, અલગ પરિવાર હોય, એ તમામ બાબતો બાળકોને ગમ્મત શીખવા મળે છે. બાળવાર્તા લખવી એ કઠિન વિષય છે. અમુક ઉંમર પછી પરિસ્થિતિઓથી ઘેરાયેલ માણસ પાકટ બની ગયેલ, એની કલમથી ફરી પાછું નાના બાળક બનવું, તેમનાં ભાવોને વર્ણવવા, એમના મનની લાગણીઓને સમજવી અને બાળકને અનુરૂપ બની વાર્તાઓ લખવી, કલમ ચલાવી, તેમની નજરની સામે આખું એક ભાવવિશ્વ ઉભું કરવું, ચકલી, મોર, પોપટ, કાબર, કાગડો, વૃક્ષ, ખિસકોલી, સિંહ, હાથી, મગર, કાચબો એ દરેક સાથે જિંદગીમાં તમામ ભાવો, લાગણીઓ અને માનવતાના પાઠો અહીં જોવા મળશે. તમામ લેખકોની કલમથી લખાયેલ બાળકો માટેના અવનવા ભાવ વિશ્વને આપ માણી શકશો. દરેક વાર્તા એકએકથી ચઢિયાતી જોવા મળશે. આપના બાળકો અને પૌત્ર પૌત્રીઓને પણ આપની આ વાર્તાસંગ્રહ વંચાવશો. એમાંની એકએક કરીને વાર્તા કહેશો તો પણ તેમની અંદર સારા ગુણોનો સંચય કરી સંસ્કાર વારસો આપી શકશો. આ ઉત્તમ પુસ્તક એક સાથે ૭૭ જેટલા લેખક લેખિકાઓએ ખૂબ મહેનતથી બનાવેલું છે. આશા છે આપને અમારાં ગોલુ મોલુ બાળવાર્તા સંગ્રહ અવશ્ય ગમશે.