શબ્દ વાવેતર એક પરિવાર નામથી નવોદિત ગુજરાતી સાહિત્યકરોને મંચ પુરો પાડવાનો પ્રયાસ કરીએ છીએ.
પિનાકિન પારેખ, પીનુ પ્યારે ના ઉપનામથી લેખ અને અછાંદસ કાવ્ય શીખી રહ્યો છું. પ્રયત્ન કરું છું, સમય અનુસાર થોડું ઘણું લખાય છે. નિજાનંદ મળે છે.
શબ્દ વાવેતર એક પરિવાર નામથી નવોદિત ગુજરાતી સાહિત્યકરોને મંચ પુરો પાડવાનો પ્રયાસ કરીએ છીએ.
પિનાકિન પારેખ, પીનુ પ્યારે ના ઉપનામથી લેખ અને અછાંદસ કાવ્ય શીખી રહ્યો છું. પ્રયત્ન કરું છું, સમય અનુસાર થોડું ઘણું લખાય છે. નિજાનંદ મળે છે.
Book Summary
જ્યારે કોઈ કવિ પોતાની વ્યથા, પોતાની વેદના કે પોતાની લાગણી અન્ય વ્યક્તિ સાથે સંવાદ દ્વારા વ્યક્ત ન કરી શકે, ત્યારે કવિતાનું સર્જન થતું હોય છે. પોતાની કવિતા દ્વારા કવિ કોઈપણ જગ્યાએ પહોંચી શકે છે. ક્યારેક કોઈ અજાણી જગ્યાએ, તો ક્યારેક કોઈના અંતરમન સુધી. તેથી જ તો કહેવાય છે કે, "જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ." આમ કવિને રવિ થી પણ અધિક ની ઉપમા આપવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાંથી પસાર થાય અને ત્યારબાદ તેનું કવિતા દ્વારા વર્ણન કરે, તો ચોક્કસપણે તે કવિતા તેનું ઉત્તમ સર્જન બની શકે છે. આ પુસ્તકમાં પણ આવા જ કવિઓ દ્વારા સર્જન કરવામાં આવેલ વૈવિધ્યસભર કવિતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે સૌ સાથે મળી અવનવી રચનાઓનું સર્જન કરતાં કવિ મિત્રોની લાગણીઓને તેમની કવિતા દ્વારા વધાવી લઈએ.
તો આવો માણીએ આવી અવનવી ભાવનાઓથી ભરેલો સુંદર કાવ્ય સંગ્રહ એટલે " કવિતાનો કસબ "