૨૦૨૩ નું વર્ષ ૧૩૦ કરોડ ભારતવાસીઓ માટે ખૂબ મહત્વનું રહ્યું છે. જગતનાં સૌથી મજબૂત વૈશ્વિક ગ્રુપ G20ના ૧૮માં શિખર સંમેલનનું યજમાન આપણું ભારત હતું.
આપણી યજમાનીમાં આ વર્ષની થીમ હતી - 'એક પૃથ્વી એક પરિવાર' અર્થાત્ 'વસુધૈવ કુટુંબકમ'!.
अयं निजः परो वेति गणना, लघुचेतसाम्।
उदास्वरितानां तु वसुधैव कुटुंबकम्।।
એનો અર્થ છે કે, આ આપણો ભાઈ છે, આ નથી. આવા પ્રકારની ગણતરી માત્ર સંકુચિત મનનાં લોકો જ કરે છે. ઉદાર મનનાં લોકો સંપૂર્ણ પૃથ્વીને ‘વસુધૈવ કુટુંબકમ’ અર્થાત સમગ્ર વિશ્વ એક પરિવાર છે’ એવી શુભ ભાવના રાખે છે.
'દેશથી પરદેશ સુધી' (સંકલિત) કાવ્ય સંગ્રહ આવી જ શુભ લાગણીની લ્હાણ કરે છે. નવોદિત સર્જક સાથે નીવડેલાં સર્જકોની ભીતરની ભીનાશને માણવા, 'દેશથી પરદેશ સુધી' કાવ્ય સંગ્રહને જરૂરથી પોંખીએ.