પૂજા ત્રિવેદી દ્વારા પ્રસ્તુત નાટક ‘શબરતિ’ ૧૨ વિવિધ દૃશ્યોમાં કથાનકને પ્રેક્ષક સામે મૂકે છે. માનવીય મનની સંકુલતાઓને સુપેરે પ્રગટ કરે છે. તેમાં દૃશ્યોની ગૂંથણીમાં લેખકનો કસબ આબાદ પ્રગટ થાય છે. તેને કારણે રસક્ષતિ થતી નથી. સમગ્ર નાટક વાંચતા લેખકની નાટક પ્રત્યેની સૂઝનો અનુભવ થાય છે. દૃશ્ય ને સંવાદોની રચના આગવું જમા પાસું છે, તેથી નાટક પોતાની પકડ ગુમાવતું નથી. વળી અંત સુધી રસ જળવાઈ રહે છે તે મોટી ઉપલબ્ધિ કહી શકાય. ટૂંકા અને બળકટ સંવાદો નાટકને એક ઉંચાઈ આપે છે. મંચ સજ્જા અને પ્રકાશ આયોજન નાટકનું મહત્વનું પાસું ગણાય. તે તરફ લેખકે યોગ્ય ધ્યાન આપ્યું છે. ઓછા પાત્રો નાટકને વધુ પ્રભાવક સ્વરૂપે મૂકે છે. કથા અને રસ નિષ્પતિની વાત નાટકના મંચન સમયે કરી શકાય. આમ એક સ્ત્રીની મનોવેદના પ્રગટ કરતુ નાટક ખરેખર માણવા લાયક છે એમ કહેવું સર્વથા ઉચિત છે. - દિવાન ઠાકોર