બહેન શ્રી ગાયત્રી કૃષ્ણકાંત જાની ‘ચંદ્રિકા’ દ્વારા સજ્જતા પામેલ આ પુસ્તક “ધ્યેય મંત્ર” તમામ વાચક મિત્રોને ગમશે, કેમ કે આ પુસ્તકની પ્રસ્તુત કરનાર કવિયત્રી અને સાથે સાથે લેખિકા પણ છે. તેમણે મનના ભાવોને સુંદર શબ્દોથી સજાવીને વિવિધ કાવ્યો રચ્યા છે. જે દરેકના ભાવ ખૂબ જ સુંદર અને ગૂઢાર્થ ભરેલ છે. તેમની વાર્તાઓ પણ સામાજિક લઘુવાર્તાઓ છે. જે દરેક વાર્તામાંથી હકારાત્મક વિચારો મળે છે. તેમજ જીવનમાં દરેક મુશ્કેલીઓમાંથી નીકળી શકાય તેવો આપણને માર્ગ મળે છે. વાંચનની વિવિધતા આપને કાવ્ય રૂપે અને વાર્તા એમ બંને રીતે આપનો રસ જળવાઈ રહે અને આપને ક્યારેય વાંચન કરતા કંટાળાનો અનુભવ ન થાય તેવા આત્મીય ભાવથી અને વાચક મિત્રોના રસને ધ્યાનમાં રાખીને સુંદર લેખનનું સર્જન કરવામાં આવેલ છે. ગદ્ય પદ્ય વિભાગના લેખન સર્જનમાં ગાયત્રી બહેને ખૂબ જ સરસ રીતે દરેક બાબતોને આવરી લીધી છે. આપ આ પુસ્તકનું રસપાન કરશો ત્યારે માનવ જીવનના વિવિધ પાસાઓનો આપને અનુભવ થશે. આપણી દૈનિક જીવનશૈલીની અંદર, આપણી આસપાસ જે કંઈ બની રહ્યું છે. એ તમામ બાબતોનો સમાવેશ, વિવિધ વાર્તાઓ અને કાવ્યો દ્વારા આપની સમક્ષ રજૂ કરવા પ્રયાસ કરેલ છે. વાચક મિત્રોને આ પુસ્તક અતિશય પસંદ પડશે એવું મારું માનવું છે. તો આવો કલમથી ઊર્મિના ભાવને સીંચીને જેમને ‘ધ્યેય મંત્ર” પુસ્તક લખ્યું છે. તેમને આપણે સહુ પ્રોત્સાહિત કરીએ. પ્રેરણા આપીએ અને આગળ પણ તેઓ જીવનમાં આવા અનેક પુસ્તકો પ્રકાશિત કરી સમાજને એક સાચી દિશા તરફ જવા માટેનો દિશા સંચાર કરે તેવી શુભેચ્છા સહ. - કિરણબેન શર્મા ‘પ્રકાશ’