જીવન વીમા કોર્પોરેશનના નિવૃત્ત ડિવિઝનલ મેનેજર ,જૂની ફિલ્મો અને ગીતોના અનહદ શોખીન,રફી ,હેમંતકુમારના અવાજમાં પુરસ્કાર મેળવી ચૂકેલ ગાયક,જર્નાલિઝમ સર્ટિફિકેટ ધારક,વર્તમાનપત્રમાં અને સામાયિકોમાં ફિલ્મ સાહિત્ય વિશેના અને હાસ્યલેખનના લેખક અને હિન્દી ઉર્દુ શાયરી અને કાવ્યોના સંગ્રહ બહાર પાડી ચૂકેલા કવિ ....
Book Summary
રાજકોટના વતની અને સૌરાષ્ટ્રની વિખ્યાત વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થી સુનીલ ભટ્ટ રાજકોટની કોટક સાયન્સ કોલેજના કાળથી જ સાહિત્યમાં રુચિ ધરાવતા. સ્વરૂચિથી જ ઉર્દૂ કાવ્યો લખવાનો શોખ વિકસાવ્યો. કોલેજના અને અન્ય મેગેઝીનોમાં કાવ્યો છપાયાં, તેમ જ આકાશવાણી રાજકોટ પર પ્રસારિત થયા. એલ.આઈ.સી.માં ડિવિઝનલ મેનેજરના પદ પરથી નિવૃત્ત થયા બાદ સુરતમાં ફ્રીલાન્સ જર્નાલીઝમનો ડિપ્લોમા કોર્સ કર્યા બાદ “મારું ઘર” જેવા સામયિક તેમ જ “ગુજરાત મિત્ર”ની ફિલ્મ આવૃત્તિમાં તેમના ફિલ્મો વિશેના અનેક લેખો ચાર-પાંચ વર્ષ સુધી પ્રકાશિત થયા છે. ઉર્દૂ શાયરો તેમ જ કવિઓ વિષે એક શ્રેણી “સંવેદન” મેગેઝીનમાં છપાઈ છે. તેમની હિન્દી ઉર્દૂ શાયરીના ચાર કાવ્યસંગ્રહો "આઓ સજની યાદ કરેં", "જઝબાત", "કશ્મકશ" અને "ખ્વાબો કી પરછાઈયાં" બહાર પડી ચૂક્યા છે. "રિસાલા એ ઇન્સાનિયત" તેમ જ "હિન્દી સાહિત્ય પરિવાર" મેગેઝીનોમાં અવારનવાર તેમનાં કાવ્યો છપાયાં છે. હાલમાં તેમનું હિન્દી ફિલ્મોના ગીતકારો તેમ જ સંગીતકારો વિશેનું લેખન ચાલે છે. તેમણે કેટલીક હાસ્યકથાઓ પણ લખી છે. આમ ગુજરાતીમાં તેમ જ હિન્દી સાહિત્યના વિવિધ ક્ષેત્રે, ખાસ કરીને શાયરી, ફિલ્મ સંગીત તેમ જ ફિલ્મી ગીતોના શબ્દોમાં અત્યંત રુચિ ધરાવે છે. તેમની ફિલ્મી ગીતકારો વિશેની ચાર ઇ-બુક્સ Shopizen પર પ્રકાશિત થઈ છે. જેમાં તે ૨૦ અલ્પકાલીન, ૧૫ મધ્યમ સ્તરના, ૧૦ લોકપ્રિય અને ૫ સફળતમ ગીતકારો વિષે લખી ચૂક્યા છે. Shopizen દ્વારા પ્રિન્ટમાં પ્રકાશિત તેમનું પુસ્તક “ગીતકાર શૈલેન્દ્ર” વિદ્રોહી કવિ અને ફિલ્મી ગીતકારોના શિરમોર સમા ગીતકાર શૈલેન્દ્ર પર હતું. ત્યાર બાદ તેમનું સાહિર લુધિયાનવી પરનું પ્રિન્ટ પુસ્તક “સાહિર લુધિયાનવી - બેમિસાલ શાયર અને ફિલ્મ-ગીતકારોમાં કોહિનૂર” Shopizen દ્વારા જ પ્રકાશિત થયું છે. આ ઉપરાંત ફિલ્મ સંગીતકારોની શ્રેણીમાં પુસ્તકો, “અપ્રસિદ્ધ, અપ્રશંસિત, વિસરાયેલા ફિલ્મસંગીતકારો” અને “મધ્યમ હરોળના અમૂલ્ય સંગીતકારો” અને “સપ્તર્ષિ સમા સફળ સંગીતકારો” Shopizen પર ઈબુક સ્વરૂપે પ્રકાશિત થયેલ છે.