વાર્તા, નવલિકા આપણા જીવનની આસપાસ ઘટતી એક ઘટના કે જીવન વહેવારમાં આચરાતી વાતને જુદા દ્રષ્ટિ કોણથી નિહાળીને કે અર્થઘટન કરીને તેના વિશિષ્ટ ગુણ કે વિશિષ્ટતાને ધ્યાને લઈને એ વિષય આધારિત કંઇક નવું લખાણ એટલે વાર્તા કે નવલિકા.
આવી જ જૂના વિષય આધારિત નવા દ્રષ્ટિકોણ સાથે શ્રી પુષ્પદંત ભાઈ ભટ્ટ લિખિત નવલિકાઓ હવે "કલ્કિ અવતાર" નામક સંગ્રહમાં ગ્રંથસ્થ થશે એનો રાજીપો છે. આ સંગ્રહની નવલિકાઓ પ્રણય, દાંમપત્ય, ગરીબી, ભ્રષ્ટાચાર, માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોના તાણાવાણા ગુચવતા અને ઉકેલતા વગેરે વિષય આધારિત રચાઈ છે.
- વર્ષા ભાનુશાલી