એક વિલક્ષણ અને બહુમુખી પ્રતિભા ધરાવતાં કવિયત્રી,લેખિકા, કોલમિસ્ટ અને નવલકથાકાર સુ.શ્રી ડો. નારદી પારેખનાં આગામી પ્રકાશિત થનાર નવલિકા સંગ્રહ "સ્નેહનાં સમર્પણ" માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એક નાનકડાં ગામનાં અને ત્યાંના સરપંચની દીકરી રાધા અને એક અરજણ નામનાં બે પાત્રો વચ્ચેનાં બંધાયેલા એક અતૂટ પ્રેમની વાત સાથે સાથે ગ્રામ્ય જીવનની સામાજિક મર્યાદાઓ અને વાતોને ખૂબ જ સલુકાઈથી વણી લેવામાં આવી છે. અચાનક પ્રિય પાત્રનું જીવનમાંથી વિદાય લેવું. અને ત્યારબાદની મનોસ્થિતિની કરૂણ પરિસ્થિતિને તાદ્સ રજૂ કરવામાં લેખિકા સફળ રહ્યા છે. વાચકની આંખનાં ખૂણા સહજ ભીના થતાં રોકી શકાય નહીં તેવી ભાવ સફર છે.
પ્રેમ ક્યારેય વ્યક્તિને નિષ્ઠુર ના બનાવે...પરંતુ સમર્પણ,કરુણા, સેવા અને દયા જેવી ભાવનાઓ હૃદયમાં જગાડે છે,આ વાત અહીં રાધાના પાત્રમાં ઉજાગર કરી છે...આ નવલિકાની નાયિકા ગામડાની રાધુડી...પોતાના પ્રેમ પાત્રના વિરહના દુઃખને લોકોની સેવા કરી અને ભુલાવી દે છે..એક સામાન્ય ગામડાની છોકરી એક મોટી સેવાભાવી વ્યક્તિ તરીકે ઉભરી આવે છે...
આ હૃદયસ્પર્શી કથાનક અને અન્ય ત્રણ લઘુ નવલિકા "છટકું", "બદલાની આગ" અને “ઋણાનુબંધ” પણ આ પુસ્તકમાં લઈ અને આવે છે.
~ દિલીપ ધોળકિયા,"શ્યામ",
જૂનાગઢ.