કવિ કલ્પની કલમમાં સચ્ચાઈનો રણકો અને કવિ નીરજ જેવી નીડરતા અને સભાનતા રહેલી છે. એમની ગઝલો રોદણાં નથી રડતી પણ, એક ખુમારી, મિજાજી અને ખેલદિલી ભરી શેરિયત રજૂ કરે છે.
" ઝાડને કાપીને બનાવો બારણાં બારી ભલે,
રાત પડતાં વાત કરશે એકલાં તડકા વિશે"
ગઝલના છંદ, બંધારણ સાથે સમજ પૂર્વક કામ કરતા કવિ કલ્પની ગઝલોમાં છંદ, બહરની વૈવિધ્યયતાનો સુંદર અને સરળ પરિચય મળે છે.
કવિનું અધિક વાંચન, મનન અને ભીતરને ઘૂંટીને સર્જન કરવાની કળાથી કશુંક વિશેષ સાધી શક્યા છે. આ કવિ પોતે પણ આશાવાદી છે તો એમના જ શબ્દોનો દીપ પ્રગટાવીને અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ.
- કવિ વિનોદ માણેક "ચાતક”