ડૉ. નારદી પારેખનો વાર્તાસંગ્રહ "વાર્તા વૈભવ" આપની માટે પ્રસ્તુત છે. જેમાં આપને દુનિયાદારીના અનેક રંગ જોવા મળશે! તેમની એક વાર્તા "તરસ માતૃત્વ"ની તો બેનમૂન છે. સંતાન વગરની જિંદગી કેવી હોય છે, એનું નિરૂપણ આ વાર્તામાં કરવામાં આવ્યું છે અને અંતે મંગળાને માતૃપ્રેમ નસીબ થાય છે. એવી રીતે વાર્તા વૈભવમાં સમાવેશ દરેક વાર્તા જીવન જીવવાનો બોધ આપી જાય છે.
- અંકિત ચૌધરી 'શિવ'