મારી નિરાળી નજરથી જો દરેક વાત જોશો તો કદાચ મારી દૃષ્ટિ અને સૃષ્ટિના દરેક જીવ સાથે આત્મસાત થઈ જાઓ એવી ઈચ્છા રાખી આ પુસ્તક લખ્યું છે.
અહીં માત્ર એટલું સમજાવવા માંગુ છું કે એ વનસ્પતિમાં પણ જીવ છે, એમને આપણે વનદેવીના જીવ તરીકે જોઈએ, એમની શું હાલત થાય છે એ અનુભવ ન કરી માત્ર વાંચશો અને સમજશો તો પણ હું પોતાને ધન્ય માનીશ. અને કુદરત માટે મારાથી બનતો પ્રયાસ સફળ નીવડશે તેવી આશા રાખું છું. કુદરત વિશે જેટલું સમજીએ એટલું ઓછું છે તો કહીએ એટલું તો ઓછું જ પડે ! તો આભાર માનવાની વાત આવી જ ન શકે. આપણા શ્વાસથી માંડીને જીવનનાં છેલ્લા ડગ સુધી આપણે કુદરતને જ ખોળે રમવાનું હોય છે. તો એટલું ચોક્કસ કહી શકાય કે આપણે એનાં ઋણી છીએ. જેમ માતાનું ઋણ ન ચૂકવી શકીએ એમ કુદરતનું ઋણ પણ ન જ ચૂકવાય. એ હિસાબે આપણે કુદરત માટે કંઈક કરી શકીએ તો એ ક્ષણ જતી ન કરવી જોઈએ.